મકાન માલિકે અચાનક ઘરનું ભાડુ 10 હજાર વધારી દીધું, કારણ જાણી ચોંકી જશો

બેંગલોર એક એવું શહેર છે, જ્યાં ખરાબ ટ્રાફિક અને મકાન માલિક-ભાડુત વચ્ચેના ડરામણા સંબંધોએ તેની વ્યવસાયિક અને રાજકીય ગતિવિધિઓની તુલનામાં વધારે ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણાં યૂઝર્સ મકાન માલિકો દ્વારા વધારે ભાડુ માગવાના અનુભવો શેર કરતા રહે છે. વધુ એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવ્યું કે, કઇ રીતે એક મકાન માલિકે ઈંદિરાનગરમાં 2BHK ફ્લેટનું ભાડુ થોડા જ કલાકોમાં 10 હજાર વધારી દીધું. અચાનક વધેલું ભાડુ ઈન્ટરનેટ પર વાયરલ થયું.

નિતિન કાલરા નામના વ્યક્તિએ ટ્વીટર પર @Bharath_MG દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો. પોસ્ટ ટૂંક સમયમાં વાયરલ થઇ ગઇ. જેમાં મકાન માલિકે ઘરનું ભાડુ 45000થી વધારીને 55000 કરવાનો નિર્ણય કર્યો.

પોસ્ટને 2 લાખથી વધારે વાર જોવામાં આવી છે અને ઘણી કમેન્ટ્સ મળી રહી છે કે કઇ રીતે બેંગલોરમાં મકાન ભાડે લેવું અપ્રભાવી થઇ જાય છે. આ એક આધુનિક દુનિયામાં અવસરવાદિતા અને નૈતિકતા ન હોવાનું કહી જાય છે. જેને ડિમાન્ડ અને સપ્લાઇ તરીકે એક બિઝનેસ સેન્સમાં જોવામાં આવે છે અને લોકો તેને સેલિબ્રેટ પણ કરે છે. ભરત એમજી નામના યૂઝરે ભાડુ 45 હજારથી 55 હજાર એ કારણે કરી દીધું કારણ કે, તેણે પહેલા કરેલી પોસ્ટને લોકોનો ધાર્યા કરતા વધારે રિસ્પોન્સ મળ્યો હતો. ડિમાન્ડ વધારે મળતા તેણે ફ્લેટનું ભાડુ 10 હજાર રૂપિયા વધારી દીધું.

એક યૂઝરે લખ્યું કે, માત્ર વાઇબ્સના આધારે તે ફ્લેટની કિંમત વધારે હોવી જોઇએ. કલ્પના કરો કે ઈંફ્લુએંસર્સનું એક ગ્રુપ આને પોતાના કન્ટેંટ માટે વાપરી રહ્યા છે. આ એક ચોરીનો સોદો હતો. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા પછી લોકો ઘણાં મીમ્સ પણ બનાવી રહ્યા છે. જુઓ લોકોના રિએક્શન...

તો વધુ એક યૂઝરે લખ્યું કે, હવે મને સમજાયું કે મિત્રો અને સગા સંબંધીઓ બેંગલોરમાં ફ્લેટ ખરીદવાનું કેમ પસંદ કરે છે. અમે ભુવનેશ્વરમાં જે 1414 વર્ગફૂટનો 3બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો તેનું ભાડુ EMI કરતા વધારે છે. તેઓ પાછા ફરવા પર તેને વેચવાના હેતુથી બેંગલોરમાં ફ્લેટ ખરીદવાનું પસંદ કરે છે. તો એક વ્યક્તિએ લખ્યું કે, થોડા વર્ષોમાં બેંગલોર રહેવા લાયક રહેશે નહી. સરકારે હસ્તક્ષેપ કરવો જોઇએ અને ભાડા પર નિયંત્રણ લાવવો જોઇએ.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.