‘…પૈસા પહોંચી ગયા તો ચૂંટણીની જાહેરાત કરી દીધી’, ECI પર કોંગ્રેસનો મોટો આરોપ

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે, જે હેઠળ 6 અને 11 નવેમ્બરના રોજ મતદાન થશે. ચૂંટણી પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત બાદ ચૂંટણી પંચ પર વિપક્ષે હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ બિહાર ચૂંટણીની જાહેરાતના સમય પર સવાલ ઉઠાવતા પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પવન ખેડાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પૂરી રીતે શંકાના ઘેરામાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધન સરકારે અગાઉથી કંઈ ન કર્યું અને છેલ્લી ઘડીએ મફતની રેવડીઓ વહેંચી.

pawan-khera
ndtv.com

પવન ખેડાએ કહ્યું કે, ‘આજે જે રેવડીઓ છેલ્લી ઘડીએ વહેંચવામાં આવી, તેને વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) રેવડીઓ કહે છે, આ કયા પ્રકારનું ગઠબંધન છે કે પૂરા 5 વર્ષ કે આખા વર્ષ સુધી પરીક્ષાની તૈયારી ન કરી, તેઓ છેલ્લી ઘડીએ જે કરી રહ્યા છે, તે વડાપ્રધાન કરતા જોવા મળ્યા, તે નીતિશ કુમાર કરતા જોવા મળ્યા, અને ચૂંટણી પંચે ગઈકાલે સાંજે 4:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરી, ખરું ને? પરંતુ નહીં, કારણ કે ખાતામાં પૈસા જમા થયા નહોતા. રવિવાર હતો અને આજે જઈ રહ્યા છીએ. તો આજે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ બધું શું બતાવે છે? ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર દરરોજ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

6 ઓક્ટોબર સોમવારના રોજ, ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે 21 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયાના હપ્તો મોકલ્યો. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાહેઠળ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 2,100 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા. પવન ખેડાએ આ તરફ ધ્યાન દોર્યું કે ચૂંટણી પંચે મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા બાદ તારીખોની જાહેરાત કરી હતી, જોકે ચૂંટણી પંચે રવિવાર, 5 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

તો RJD નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ચૂંટણી તારીખોની જાહેરાત પર કહ્યું કે પરિવર્તનનું રણશિંગુ ફૂંકાયું છે. તેમણે X પર લખ્યું કે, ‘આજે માત્રચૂંટણી તારીખોની જાહેરાત થઈ નથી, પરંતુ બિહારના ઉજવણીની શરૂઆત થઈ છે. આ ઉત્સવ બંધ ન થવો જોઈએ. દિવાળી અને છઠ પૂજા બાદ, બિહારનો 20 વર્ષનો ઇંતજાર સમાપ્ત થશે. 20 વર્ષ બાદ એક ભવ્ય તહેવાર આવશે, જે બધા દુઃખ –પરેશાનીઓ દૂર કરશે. તે દિવસે દરેક બિહારી તેજસ્વી સાથે જીત સ્વીકારશે, કારણ કે તે દિવસે દરેક બિહારવાસી બનશે બિહારના મુખ્યમંત્રી, જેનો અર્થ થાય છે ચેન્જ મેકર... નવા બિહારનો ભાગ્યવિધાતા.

તારીખોની જાહેરાત બાદ RJDના રાજ્યસભાના સાંસદ પ્રોફેસર મનોજ કુમાર ઝાએ ચૂંટણી પંચને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન નફરતભર્યા ભાષણ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આજે બિહારની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે. અમે ચૂંટણી કમિશનરને કહ્યું હતું કે, તેમણે આ જે નફરતની ભાષા બોલવામાં આવે છે, તેના માટે તેની જોગવાઈઓનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ ગમે તેટલું ઉચ્ચ પદ પર બેઠું હોય, તેને તેની સજા થવી જ જોઈએ. સમાજમાં ઝેર વાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને રોકવી જોઈએ.

પૂર્ણિયા લોકસભાના સાંસદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવે પણ ચૂંટણી કમિશન પર પ્રહારો કર્યા. તેમણે X પર લખ્યું કે ચૂંટણી કમિશન ક્યારેય આટલું બેશરમ રહ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી કાર્યક્રમ ભાજપ કાર્યાલયમાંથી મોકલવામાં આવ્યો, જેને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે વાંચી સંભળાવ્યું. બિહારનું દરેક બાળક જાણતું હતું કે અધૂરી મેટ્રોનું ઉદ્ઘાટન થતા જ તારીખ જાહેર થઈ જશે. ચૂંટણી પંચે પૂરી બેશરમી બતાવી. તેણે નિષ્પક્ષતાનો ભ્રમ પણ ન રહેવા દીધો.

આ દરમિયાન, ભાજપ સહિત તમામ NDA પક્ષોએ ચૂંટણી તારીખોની જાહેરાતનું સ્વાગત કર્યું. બિહાર વિધાનસભા ચૂંટણીને અભિનંદન આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. લોકશાહીના આ ભવ્ય પર્વ પર તમામ બિહારવાસીઓને અભિનંદન. મોદીજીના નેતૃત્વમાં NDA સરકારે બિહારને જંગલ રાજમાંથી નીકળીને વિકાસ અને સુશાસનની નવી દિશા આપી છે. આજે બિહાર, ગરીબ કલ્યાણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તનો જોઈ રહ્યું છે.

shah
indiatoday.in

મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી, JDUએ તેના સત્તાવાર X એકાઉન્ટ પર આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. JDUએ લખ્યું કે, ‘14 નવેમ્બરના રોજ રાજ્યના 7 કરોડથી વધુ મતદારો સાબિત કરશે કે વિકાસ, સુશાસન અને સ્થિરતાનું બીજું નામ નીતિશ કુમાર છે.

243 સભ્યોની બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ઘણા રાજકીય પક્ષોએ બિહારના સૌથી લોકપ્રિય તહેવાર, છઠ પૂજા બાદ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી હતી. ચૂંટણી પંચે આ વિનંતી સ્વીકારી છે. 6 નવેમ્બરના રોજ મતદાનના પ્રથમ તબક્કામાં મધ્ય બિહારની 121 બેઠકો પર મતદાન થશે, જેમાં પૂરગ્રસ્ત અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 11 નવેમ્બરના રોજ સરહદી વિસ્તારોની 122 બેઠકો પર મતદાન થશે.

About The Author

Related Posts

Top News

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ

આજે, અમે સ્માર્ટફોન સંબંધિત એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુશીની સાથે આશા પણ આપશે. તે...
Tech and Auto 
સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.