શિવ બનનારને અસલી સાપે ડંખ માર્યો, મંડળીવાળા શબ મુકીને ભાગી ગયા

બિહારમાં બહુરૂપિયા બનેલા એક યુવકને અસલી સાપે ડંખ મારતા તેનું મોત થયું છે.  ઘણી વખત યુવાનો બહુરૂપિયા બનીને હનુમાન દાદા કે શિવ ભગવાનનું રૂપ ધારણ કરીને ફરતા હોય છે અને તેમની આજીવિકા રળતા હોય છે. બિહારમાં શિવ બનેલા યુવકે ગળામાં સાપ લટકાવેલો હતો, જેવી મદારીની બીન વાગી કે  ગળામાં રહેલા અસલી સાપે નકલી શિવને ડંખ મારી દીધો હતો.

બિહારના મધેપુરા જિલ્લાના મુરલીગંજ દુર્ગા સ્થાન મંદિર પરિસરમાં બુધવારે રાત્રે અષ્ટયામ દરમિયાન ભગવાન શિવનો વેશ ધારણ કરેલા વ્યકિતને તેના ગળામાં લટકી રહેલા ઝેરી સાપે ડંખ માર્યો હતો જેને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઉંમર માત્ર 30 વર્ષની હતી. બનાવને પગલે મૃતક યુવકના પરિવારમાં શોકનો માહોલ છે.

હકિકતમાં, અષ્ટયમ પર મુરલીગંજ દુર્ગા મંદિર પરિસરમાં કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બાબા ભોલેનાથ બનેલા યુવકના ગળામાં એક ઝેરી સાપ લટકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભજનકીર્તન ચાલી રહ્યું હતું અને ડાન્સ કરનારી ટોળી ડાન્સ કરી રહી હતી. આ દરમિયાન શિવ બનેલા 30 વર્ષના મુકેશ કુમારને સાપે ડંખ મારી દીધો હતો.

ભજન-મંડળીના લોકોએ મુકેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે સાપના ઝેરમાંથી મુક્તિ અપાવવા માટે ઝેર ઉતારનાર ભૂવા પાસે લઇ ગયા હતા. સારવારમાં વિલંબ થતાં મુકેશની તબિયત લથડવા લાગી હતી. ત્યારબાદ તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મુરલીગંજ લઈ જવામાં આવ્યો. મુકેશની હાલત જોઈને ડોક્ટરે તેને મધેપુરા મેડિકલ કોલેજમાં રીફર કર્યો, પરંતુ મુકેશનું રસ્તામાં જ મોત થઈ ગયું હતુ.

મુકેશના મોતથી ગભરાઈ ગયેલી ભજન મંડળીના લોકો પાછા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મુરલીગંજ પહોંચ્યા અને ત્યાં તેનો મૃતદેહ મૂકીને ભાગી ગયા. જ્યારે ડૉ.લાલ બહાદુરે જોયું કે યુવકનો મૃતદેહ ત્યાં પડ્યો હતો, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને મર્ચુરી રૂમમાં રાખવામાં આવ્યો છે અને મૃતકના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે.

આ મામલાની માહિતી આપતા અવર ઈન્સપેક્ટર પીસી પાસવાનનું કહેવું છે કે મૃત્યુ પામનાર યુવક કુમારખંડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખુર્દા ગામનો રહેવાસી હતો અને ભજન મંડળીમાં કામ કરતો હતો. સાપ કરડવાથી તેનું મોત થયું હતું. કેસ નોંધવામાં આવ્યો છે. તેની ભજન મંડળીના લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.