BJP સાંસદનો આરોપ, સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં સવાલ પૂછવા લીધી રિશ્વત

ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર કેશ-ગિફટ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર આરોપ લાગ્યો છે કે તેમણે અદાણી ગ્રુપને નિશાનો બનાવવા માટે પૈસા લઈને સવાલ પૂછ્યા છે. ઝારખંડમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસસભા સ્પીકરને ચિઠ્ઠી લખીને આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઇત્રાએ કેશ-ગિફ્ટ માટે સંસદમાં સવાલ પૂછ્યા હતા. બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસે લાંચ લઈને આ સવાલ પૂછવામાં આવ્યા હતા. મહુઆ મોઇત્રાએ અદાણી ગ્રુપ વિરુદ્ધ સવાલ સંસદમાં પૂછ્યા અને દર્શન હીરાનંદાનીને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે. તેમણે એડવોકેટ જય અનંત દેહાદ્રીની ચિઠ્ઠીના આધાર પર આ ફરિયાદ કરી છે. તો આ આખા મામલે મહુઆ મોઇત્રાએ કહ્યું કે, તેઓ કોઈ પણ પ્રકારની તપાસનું સ્વાગત કરે છે. આરોપ છે કે, સવાલ પૂછવાના બદલે હીરાનંદાનીએ મહુઆ મોઇત્રાને કેશ અને ગિફ્ટ આપ્યા હતા. દર્શને વર્ષ 2019ની ચૂંટણી લડવા માટે મહુઆ મોઇત્રાને 75 લાખ રૂપિયા આપ્યા હતા. દર્શને મહુઆ મોઇત્રાને મોંઘા iPhone પણ આપ્યા હતા.

દર્શને મહુઆ મોઇત્રાને ફાળવેલા સરકારી આવાસનું રિપેરિંગ કરાવ્યું હતું. આરોપમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મહુઆ મોઇત્રાએ દર્શનને પોતાનું લોકસભા અકાઉન્ટનું એક્સેસ આપ્યું હતું. સવાલ અથવા તો દર્શને પોતે પોસ્ટ કર્યા કે દર્શનના કહેવા પર મહુઆ મોઇત્રાએ પોસ્ટ કર્યા હતા. વર્ષ 2019-2023 વચ્ચે પૂછવામાં આવેલા 61 સવાલોમાંથી 50 સવાલ હીરાનંદાનીના કહેવામાં પર પૂછ્યા હતા. કેશના બદલે સવાલ IPCની કલમ 120(A) હેઠળ ગુનો છે. એ હેઠળ અગાઉ પણ ઘણા સાંસદોની સભ્યતા ગઈ છે. ભાજપના સાંસદે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ કમિટી બનાવવાની માગ કરી છે.

તપાસ કમિટીનો રિપોર્ટ આવવા સુધી મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. નિશિકાંત દુબેએ એડવોકેટ જય અનંત દેહાદ્રીની ચિઠ્ઠીના આધાર પર આ ફરિયાદ કરી છે. વર્ષ 2021માં દર્શને મહુઆ મોઇત્રાને 2 કરોડ રૂપિયા આપ્યા. 2 કરોડ રૂપિયા ઇન્ટરનેશનલ મીડિયામાં અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાનો બનાવવા માટે આપવામાં આવ્યા હતા. જુલાઇ 2019માં દર્શનના PAએ મહુઆ મોઇત્રાના ઘરે અદાણી વિરુદ્ધ ડોઝિયર પહોંચાડ્યો. અદાણી પર મહુઆ મોઇત્રાના આરોપોની ઝલક હિંડબર્ગ રિપોર્ટમાં પણ દેખાય છે. સવાલ વડાપ્રધાન મોદી અને અદાણી ગ્રુપને ટારગેટ કરવા માટે પૂછવામાં આવ્યા હતા. આ સવાલ હીરાનંદાનીના હિતો સાથે જોડાયેલા હતા.

કોણ છે દર્શન હીરાનંદાની?

દર્શન હીરાનંદાની રિયલ એસ્ટેટના મોટા બિઝનેસમેન નિરંજન હીરાનંદાનીના પુત્ર અને રિયલ એસ્ટેટ બિઝનેસ હીરાનંદાની ગ્રુપના થનારા CEO છે. એનર્જી, શિક્ષણ અને હેલ્થકેરમાં પણ તેમના બિઝનેસ છે. નવેમ્બર 2017: પેરાડાઇઝ પેપરમાં તેમની વિરુદ્ધ આરોપ લાગ્યા હતા. એક ન્યૂઝ ચેનલે આ મુદ્દા પર હીરાનંદાની સાથે વાત કરી તો તેમના પ્રવક્તાએ કહ્યું કે આ આરોપ ખોટા છે. અમે બિઝનેસ કરીએ છીએ, રાજનીતિ નહીં. અમે દેશની ભલાઈ માટે સરકાર સાથે મળીને કામ કરીએ છીએ અને કરતા રહીશું.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.