પોતાની સરકારથી નારાજ MP વરુણ ગાંધી બોલ્યા-‘ગાંધી’ નામ પ્રત્યે નારાજગી લાખોનું...

ભાજપા સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ વખતે મામલો અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરી દેવાનો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સંસદીય ક્ષેત્રમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવાને લઇ ભાજપા સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, કોઇપણ રીતની તપાસ વિના હોસ્પિટલનું લાયસન્સ તરત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. આ એ બધા લોકો સાથે અન્યાય છે જેઓ માત્ર પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ માટે જ નહીં બલ્કે પોતાની આજીવિકા માટે પણ આ સંસ્થા પર નિર્ભર છે.

વરુણ ગાંધીએ કહ્યું કે, હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવાને લઇ જવાબદેહી જરૂરી છે. એ પણ અગત્યનું છે કે નિષ્પક્ષતાના સિદ્ધાંતોને જાળવી રાખવામાં આવે અને આ મામલે તપાસ કરવામાં આવે. વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખી માગ કરી છે કે, સરકાર આ મામલાને લઇ ફરી એકવાર વિચાર કરે. તેમણે યોગી સરકારને આ મામલે પારદર્શી રીતે તપાસ કરવાની માગ પત્રમાં કરી છે. પીલીભીત સાંસદ વરુણ ગાંધીએ આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહી છે અને પોતાની પોસ્ટમાં ઉત્તર પ્રદેશના ડિપ્ટી સીએમ બૃજેશ પાઠકને પણ ટેગ કર્યા છે.

સવાલ માત્ર કર્મચારીઓનો નથી દર્દીઓનો પણ છે

એક અન્ય ટ્વીટમાં વરુણ ગાંધીએ કહ્યું કે, સવાલ માત્ર સંજય ગાંધી હોસ્પિટલના 450 કર્મચારીઓનો અને પરિવારનો નથી બલ્કે એ સામાન્ય નાગરિકોનો પણ છે, જેઓ રોજ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. તેમની પીડાની સાથે ન્યાય માનવતાની દ્રષ્ટિ જ કરી શકે છે. વ્યવસ્થાનો અહંકાર નહીં. નામ પ્રત્યે નારાજગી લાખોનું કામ ન બગાડી દે.

જણાવીએ કે, અમેઠીની સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવાને લઇ આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા લોકો સરકારને લાયસન્સ ફરીથી આપવાની માગ કરી રહ્યા છે. પાછલા દિવસોમાં સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી એક મહિલાનું મોત થયું હતું.

પરિવારનો આરોપ હતો કે ખોટી સારવારને કારણે મહિલાનું મોત થયું છે. ડીએમથી લઇ ડેપ્યુટી સીએમ સુધી આ મામલે ફરિયાદ થઇ હતી. તપાસ પૂરી થયા પછી હોસ્પિટલને ઉત્તર પ્રદેશ સરકારે બંધ કરાવી દીધી હતી અને લાયસન્સ પણ રદ્દ કરી દીધું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.