સોનિયા-રાહુલ ઈચ્છે તો 2024મા 100 સીટો પર સમેટાઇ જશે ભાજપ: CM નીતિશ કુમાર

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર સતત વિપક્ષી એકજૂથતાની વકીલાત કરી રહ્યા છે. તેના માટે તેમણે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે ઘણી બેઠક કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે લડવાની તેમને અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ અગાઉ તેઓ રાહુલ ગાંધીને પણ મળવા માટે દિલ્હી તેમના આવાસ પર પહોંચ્યા હતા.

નીતિશ કુમારે ફરી એક વખત ભાજપ વિરોધી ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હવે બૉલ કોંગ્રેસના પક્ષમાં નાખી દીધો છે અને સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને વિપક્ષી એકતાની પહેલ કરવા માટે કહ્યું છે. તેમણે પટનામાં આયોજિત CPI-MLના રાષ્ટ્રીય કન્વેન્શનને સંબોધિત કરતા કહ્યું કે, મેન દિલ્હી જઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે કોંગ્રેસે આગળનો નિર્ણય લેવો જોઈએ. જો આપણે બધા મળી જઈએ તો ભાજપ 100 કરતા પણ ઓછી સીટો જીતી શકશે. એટલે કોંગ્રેસે વિપક્ષી એકજૂથતામાં મોડું ન કરવું જોઈએ.

નીતિશ કુમાર સાથે જ તેજસ્વી યાદવે પણ કહ્યું કે, કોંગ્રેસ રિજનલ પાર્ટીઓને ડ્રાઇવિંગ સીટ પર આવવા દે. જ્યાં ભાજપ સાથે સીધી સ્પર્ધા છે ત્યાં કોંગ્રેસ ટક્કર લે. કોંગ્રેસે હવે મોડું ન કરવું જોઈએ. તો તેજસ્વી યાદવે આ દરમિયાન ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ સાથે રહેવા પર તમારા પર ગમે તેટલો ડાઘ લાગ્યો હશે, વોશિંગ મશનીની અંદર સાફ કરી દેવામાં આવશે. તમે બધા આલોકો દેશના સંવિધાનને બચાવવા માટે લડી રહ્યા છો એટલે અમે તમારો આભાર માનીએ છીએ.

આજે દેશનો માહોલ અને પરિસ્થિતિ એવી છે કે ભાજપ વિરુદ્ધ બોલવા પર તમારા પર છાપેમારી કરવામાં આવશે, ચરિત્ર હનન કરવામાં આવશે, છબી બગાડવામાં આવશે કે જેલ મોકલવામાં આવશે અને જો તમે ભાજપ સાથે રહેશો તો તમે હરિશ્ચંદ્ર કહેવાશો. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના નિવેદનોને લઈને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, જો તમે ઈચ્છો છો તે જ કોંગ્રેસ પણ ઈચ્છે છે. ક્યારેક ક્યારેક પ્રેમમાં પણ એક સમસ્યા આવી જાય છે. પહેલા I Love You કોણન કહેશે. માનું છું કે વિપક્ષી એકજૂથતા જલદી થવી જોઈએ.

નીતિશ કુમારના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બિહારમાં ઉધારીના તેલથી પોતાના દીવા પ્રકાશિત કરી રહ્યા છે, તેઓ શું ભારતને નવો દિવસ દેખાડશે. 17 વર્ષમાં બિહારનો વિકાસ થયો નથી અને નીતિશજી એક મહિનામાં સમાધાન શોધી રહ્યા છે. તેમના શાસનથી રાજ્ય ઉપર આવી શક્યું નથી અને વડાપ્રધાન માટે એકજૂથતાની શોધ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.