છોકરાને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા, પિતાએ કહ્યું-નોકરી મળશે ત્યારે થશે, પછી BTec પુત્ર બન્યો નકલી TTE

સરકારી રેલ્વે પોલીસે (GRP) વારાણસીમાં એક નકલી TTEની ધરપકડ કરી છે. આરોપી BTec ગ્રેજ્યુએટ છે, પરંતુ હાલમાં બેરોજગાર છે. એવો આરોપ છે કે, તે નકલી TTE બનીને નકલી ટિકિટ વેચતો હતો અને મુસાફરોને છેતરતો હતો. તેની પાસેથી નકલી પૂર્વ મધ્ય રેલ્વે ઓળખ કાર્ડ (ID) અને TTEના કપડાં પણ મળી આવ્યા છે.

આરોપીનું નામ આદર્શ જયસ્વાલ છે, જે મધ્યપ્રદેશના રેવા જિલ્લાના અત્રૈલાનો રહેવાસી છે. છેતરપિંડીની અનેક ફરિયાદોના આધારે GRP અને રેલ્વે પોલીસ ફોર્સ (RPF)એ તેની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આદર્શ જયસ્વાલે જણાવ્યું કે, તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 'ટ્રાવેલિંગ ટિકિટ ચેકર' (TTE) બનવાનું નક્કી કર્યું.

Fake TTE
newsthinkfirst.com

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વારાણસી GRP ઇન્સ્પેક્ટર રાજૌલ નાગરે કહ્યું, 'તે એક છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ તેના (આદર્શના) માતા-પિતાએ તેને નોકરી ન મળે ત્યાં સુધી તેના લગ્ન કરાવવાનો ઇનકાર કર્યો હતો. તેથી જ તેણે આવું પગલું ભર્યું.

રાજૌલ નાગરે જણાવ્યું કે, આદર્શ જયસ્વાલે માર્ચમાં તેના ગામના એક સાયબર કાફેમાં નકલી ID કાર્ડ બનાવ્યું હતું. તેણે નકલી રેલ્વે ટિકિટ પણ બનાવી અને મુસાફરોને વેચી દીધી હતી.

Fake TTE
amarujala.com

ઇન્સ્પેક્ટર રાજૌલ નાગરે જણાવ્યું કે, આદર્શ જયસ્વાલે એક વખત જનતા એક્સપ્રેસ માટે નકલી ટિકિટ (B-3) વેચી હતી. આ ટ્રેન વારાણસીથી ઉત્તરાખંડના લકસર સુધી ચાલે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે જ્યોતિ કિરણ અને ગુનગુન નામની મહિલાઓને ટિકિટ વેચી હતી. પરંતુ જ્યારે તે મહિલાઓ બીજા દિવસે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમને કોચ B-3 મળ્યો ન હતો. આ પછી, જ્યોતિના ભાઈએ આ બાબતની ફરિયાદ રેલ્વે કર્મચારીઓને કરી.

તેવી જ રીતે, એક વખત આરોપી આદર્શ જયસ્વાલે દિનેશ યાદવ નામના વ્યક્તિ માટે E-ટિકિટ બુક કરાવી હતી. જોકે, મુસાફરે ટ્રેનની સ્થિતિમાં થોડી વિસંગતતા જોઈ અને તેને શંકા ગઈ. ઇન્સ્પેક્ટરે કહ્યું કે, પૈસાને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો...
Opinion 
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

9.90 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 50 હજારની પ્રતિમા મૂકી દીધી, કલેક્ટર-ધારાસભ્ય ઉદ્ઘાટન પણ કરીને જતા રહ્યા

મધ્ય પ્રદેશના ખરગોનમાં આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની તાંત્યા મામા ભીલની પ્રતિમા સ્થાપિત કરવામાં ભ્રષ્ટાચારનો એક મામલો સામે આવ્યો છે....
National 
9.90 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 50 હજારની પ્રતિમા મૂકી દીધી, કલેક્ટર-ધારાસભ્ય ઉદ્ઘાટન પણ કરીને જતા રહ્યા

શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ

શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા  પરિવાર દ્વારા આયોજિત 31મો સ્નેહમિલન સમારોહ ભવ્ય આયોજન અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો....
Gujarat 
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ

પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

ઉત્તર પ્રદેશના રામપુર પોલીસે એક લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જેની વાર્તા કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે. એક...
National 
પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

Opinion

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો...
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.