BSFના જવાનનું પાડાના વાંકે મોત થયું, 55 દિવસ સુધી જિંદગી સામે જંગ લડી

Border Security Force (BSF) માં 34 વર્ષથી સેવા કરનાર એક જવાનને દુશ્મનોની ગોળીઓ તો ન હરાવી શકી, પરંતુ એક પાડાના વાંકે આ બહાદુર જવાને જીવ ગુમાવવો પડ્યો છે.

મૂળ હરિયાણાના કરનાલના અને રાજસ્થાનના બાડમેરમાં તૈનાત BSFના એક જવાનનું 55 દિવસની સારવાર દરમિયાન મોત થયું છે. BSFના આ જવાનને રોટલી આપતી વખતે બળદે ટક્કર મારી હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારે સાંજે જ્યારે સૈનિકનો મૃતદેહ હરિયાણા કરનાલના સૂરજ નગર પહોંચ્યો તો દરેકની આંખો ભીની થઈ ગઈ. લોકોના હાથમાં ત્રિરંગા જોવા મળ્યા અને ભારત માતાના નારા સંભળાયા હતા.

રાજસ્થાનના બાડમેરમાં તૈનાત BSFના જવાને 55 દિવસ સુધી જિંદગી અને મોત સામે જંગ લડી, પરંતુ આખરે હારી ગયા હતા. ભલે દુશ્મનની ગોળીઓ આ વીર જવાનને ન હરાવી શકી, પરંતુ તેઓ જિંદગીની જંગ હારી ગયા. BSFના જવાન આનંદ પ્રકાશ બળદને રોટલી ખવડાવી રહ્યા હતા ત્યારે બળદે અચાનક તેમની પર હુમલો કરી દીધો હતો અને આંનંદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોધપુર એઇમ્સમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

શનિવારે આનંદ પ્રકાશનો પાર્થિવ દેહ તેમના વતન કરનાલ પહોંચ્યો ત્યારે લોકોની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા. લોકોએ ભારે હૈયે વીર જવાનને વિદાય આપી હતી. આનંદ પ્રકાશના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે જવાનને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે ભારત માતા કી જયના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

કરનાલના સૂરજ નગરમાં રહેતા 53 વર્ષના આનંદ પ્રકાશ છેલ્લા 34 વર્ષથી BSFમાં ફરજ બજાવતા હતા. આ દિવસોમાં તેઓ રાજસ્થાનના બાડમેરમાં પોસ્ટેડ હતા. 16મી જુલાઈના રોજ સવારે તેઓ ગાયને રોટલી ખવડાવવા ગયા હતો. આ દરમિયાન બળદે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગરદન પર ભારે ઇજા થઇ હતી. જવાનને સારવાર માટે જોધપુરની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિમાં સુધારો થઈ શક્યો ન હતો.

દેશની સેવામાં BSFમાં 34 વર્ષ ન્યોછાવર કરનાર આનંદ પ્રકાશને 3 સંતાનો છે. જ્યારે આનંદ પ્રકાશના મોતના સમાચાર સામે આવ્યા ત્યારે પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો હતો. પરિવારના લોકો રડી રડીને અડધા થઇ ગયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આનંદ પ્રકાશ બહાદુર સિપાઇ હતા તેમના પરિવારના સભ્યો આનંદ પ્રકાશની બહાદુરીના કિસ્સા ગામના લોકોને સંભળાવતા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.