જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધમાલ, MP રાશિદના ભાઈએ 370 પર બેનર બતાવ્યા પછી હંગામો

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે ભારે હોબાળો થઇ રહ્યો છે. વિધાનસભામાં કલમ 370ને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવ સાથે જોડાયેલો છે.

બારામુલ્લાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370નું બેનર બતાવ્યું, ત્યારપછી પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. BJPના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાનો વિરોધ કર્યો હતો.

વિધાનસભામાં સ્થિતિ એવી બની કે, માર્શલને બચાવમાં આવવું પડ્યું હતું. વિધાનસભામાં હંગામો મચાવતા કેટલાક વિપક્ષી ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે ખુર્શીદ અહેમદ શેખ લંગેટ વિધાનસભા બેઠક પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા માટે ઠરાવ રજૂ કર્યો હતો.

BJP નેતા નિર્મલા સિંહે કહ્યું કે, 370 હવે ઈતિહાસ બની ગયો છે. ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. જ્યારે, BJP નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, 370 એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાનની માનસિકતાને જન્મ આપ્યો. આવી સ્થિતિમાં વિધાનસભામાં 370 પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે લાવવો અને તેને ચોરોની જેમ ઉતાવળે, ગુપ્ત રીતે રજૂ કરવો એ દર્શાવે છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગાડવા માંગે છે. આ ભારત માતાની પીઠ પર કોંગ્રેસ દ્વારા ભોંકાયેલું ખંજર છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને NC હકીકતમાં કાશ્મીરમાં આતંકવાદીઓના એજન્ડાને પૂરા કરવાનું કાવતરું કરી રહ્યા છે. પરંતુ BJP વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના આ કાવતરાનો સખત અને જોરદાર મુકાબલો કરશે, પરંતુ આ એજન્ડાને અહીં ચાલવા દેશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, છ વર્ષ પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સત્ર થઈ રહ્યું છે. આ પાંચ દિવસીય સત્ર સોમવારથી શરૂ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ, કેન્દ્ર સરકારે કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.