ચીન આટલું મીઠું કેમ બની રહ્યું છે, 85 હજાર ભારતીયોને વીઝા આપ્યા

એક તરફ ચીન અમેરિકા સાથે વેપાર યુદ્ધ લડવા માટે ઝઝુમી રહ્યું છે અને બીજી તરફ, તે ભારત પ્રત્યે મોટું દિલ બતાવી રહ્યું છે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે, કારણ કે ભારતમાં ચીની દૂતાવાસે આ વર્ષે 85 હજારથી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. આ વિઝા 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025ની વચ્ચે આપવામાં આવ્યા છે.

વિઝા મામલે ચીન દ્વારા દર્શાવવામાં આવેલા મોટા દિલને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે.

US-China-Trade-War
msn-com.translate.goog

બીજી બાજુ, જ્યારે ટ્રમ્પે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો, ત્યારે ડ્રેગને અમેરિકાથી આવતા માલ પર 125 ટકા ટેરિફ લાદીને પ્રતિક્રિયા આપી.

ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે ​​વધુને વધુ ભારતીયોને તેમના દેશની મુલાકાત લેવા અને ત્યાંના વાતાવરણનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું છે. ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા વિઝામાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે 2023માં, સમગ્ર વર્ષ દરમિયાન ચીન દ્વારા કુલ 1,80,000 ભારતીયોને વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે ચાર મહિનાથી ઓછા સમયમાં, તે 85 હજારનો આંકડો વટાવી ગયો છે.

US-China-Trade-War
newsaroma.com

ગયા વર્ષે ચીને વિઝા સંબંધિત નિયમોમાં ઘણી છૂટછાટ પણ આપી હતી. ઉદાહરણ તરીકે, ચીનની મુસાફરી કરતા ભારતીયોને હવે વિઝા અરજી સબમિટ કરતા પહેલા ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરવાની જરૂર નથી. તેના બદલે, તેઓ કામકાજના દિવસોમાં સીધા વિઝા સેન્ટર પર તેમની અરજી સબમિટ કરી શકે છે.

આ ઉપરાંત, 180 દિવસથી ઓછા સમય માટે ટૂંકા ગાળાના, સિંગલ અથવા ડબલ એન્ટ્રી વિઝા માટે અરજી કરનારા લોકોને ફિંગરપ્રિન્ટ્સ જેવા બાયોમેટ્રિક ડેટા આપવાથી પણ મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત, ચીને વિઝા અરજી માટેની ફી પણ ઘટાડી દીધી છે.

US-China-Trade-War1
livehindustan.com

આવી સ્થિતિમાં, મનમાં પ્રશ્ન એ આવે છે કે, શું ચીન ભારત સાથેના પોતાના સંબંધોને વધુ સુધારવા માંગે છે? એમ કહેવું પડે કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ચીને ભારત અને અન્ય દેશોને અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા મનસ્વી ટેરિફના વિરોધમાં તેની સાથે ઉભા રહેવા વિનંતી કરી છે.

ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારત અને ચીને US ટેરિફ કાર્યવાહીનો સામનો કરવા માટે સાથે આવવું જોઈએ.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.