નૂહ હિંસા પર CM ખટ્ટર: 2.7 કરોડની વસતી, 60,000 જવાન દરેકની સુરક્ષા ન કરી શકે

હરિયાણાના મેવાત-નૂહમાં થયેલી હિંસાને લઇ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, હિંસામાં જે પણ નુકસાન થયું છે તે ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવશે. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને નુકસાનીનો દાવો કરવા કહ્યું છે. તેઓ બોલ્યા કે, અમે પોર્ટલના માધ્યમથી લોકોને થયેલા નુકસાનનું આંકલન કરીશું. અમે સ્થિતિને ગંભીરતાથી લઇ રહ્યા છે. હું લોકોને શાંતિની અપીલ કરું છું.

મુખ્યમંત્રી કહે છે કે, રાજ્યની વસતી 2.7 કરોડ છે. અમારી પાસે 60 હજાર જવાન છે. એવામાં પોલીસ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકે નહીં. અમે પેરામિલિટ્રી ફોર્સની વધુ 4 કંપનીઓ માગી છે. પણ પોલીસ કે સેના કોઈપણ સુરક્ષાની ગેરેન્ટી લઇ શકે નહી. શાંતિ અને સદ્ભાવના રાખવાની જરૂર છે. નૂહમાં ગૌરક્ષાનો મુદ્દો છે. આ કેસમાં સુરક્ષાની જવાબદારી પોલીસની રહેશે. આ કેસમાં 100 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. હું મુસ્લિમ યુવાઓને પ્રોત્સાહિત કરુ છું કે તેઓ ગૌરક્ષા માટે આગળ આવે.

તેઓ કહે છે કે, આ હિંસામાં 6 લોકોના મોત થયા છે. જેમાં 2 પોલીસકર્મી અને 4 નાગરિકો સામેલ છે. આ કેસમાં અત્યારસુધીમાં 116 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તો 190 આરોપી કસ્ટડીમાં છે. અમે નક્કી કર્યું છે કે ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવશે અને તેમની પાસેથી નુકસાનીનું વળતર વસૂલવામાં આવશે. મોનૂ માનેસર પર રાજસ્થાન પોલીસે કેસ દાખલ કર્યો હતો, પણ અમારી પાસે કોઈ ઈનપુટ નથી. રાજસ્થાન પોલીસ આ કામમાં લાગી છે. બહારના વ્યક્તિની ભૂમિકા પર નજર રાખવામાં આવી રહી છે.

જાણ હોય તો, હરિયાણાના મેવાત જિલ્લાના નૂહમાં સોમવારે વિશ્વ હિંદૂ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની તરફથી કાઢવામાં આવેલી બ્રજમંડલ યાત્રા દરમિયાન હંગામો થઇ ગયો હતો. ઉપદ્રવીઓએ ઘણી ગાડીઓને આગમાં હોમી દીધી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હરિયાણાના મેવાત અને સોહનામાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા જોતજોતામાં ગુરુગ્રામ, ફરિદાબાદ સુધી પહોંચી ગઇ. બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. લગભગ 90 ગાડીઓ આગમાં હોમી દેવામાં આવી. આ તણાવની શરૂઆત નૂહથી શરૂ થઇ. જ્યાં બ્રજમંડળ યાત્રા દરમિયાન બે સમૂહ વચ્ચે ટકરાવ થયો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.