નવા એન્જિન સાથે જૂની ટ્રેન જોડી દીધી, CM બેનર્જી વંદેભારત એક્સપ્રેસ વિશે બોલ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો છે કે, વંદેભારત એક્સપ્રેસ પર પત્થરમારો તેમના રાજ્યમાં નહીં પણ, પડોસી રાજ્ય બિહારમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી કરશે, જેણે ઘટનાના પશ્ચિમ બંગાળમાં થવાની જૂઠ્ઠી ખબરો ફેલાવી છે.

બેનર્જીએ સાગર આઇલેન્ડમાં પત્રકારોને કહ્યું કે, વંદે ભારત પર પત્થરમારો પશ્ચિમ બંગાળમાં નહીં પણ બિહારમાં કરવામાં આવ્યો છે. અમે એ મીડિયા ચેનલ વિરૂદ્ધ કાર્યવાહી કરીશું, જેમણે ઘટનાના પશ્ચિમ બંગાળમાં થયાની જૂઠ્ઠી ખબરો ફેલાવી છે અને અમારા રાજ્યને બદનામ કર્યું છે. તેમણે કહ્યું છે કે, વંદે ભારત કંઇ નહીં પણ એક જૂની ટ્રેન છે, જેને નવા એજિનની સાથે જોડી દેવામાં આવી છે અને નવું રૂપ આપવામાં આવ્યું છે. મમતા બેનર્જી 8મી જાન્યુઆરીથી શરૂ થનારા ગંગાસાગર મેળાની તૈયારીઓ જોવા માટે બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, બિહારના લોકો નારાજ થઇ શકે છે, કારણ કે, તેમને પણ વંદે ભારત ટ્રેન જોઇતી હતી. ફક્ત એટલા માટે કે ત્યાં ભાજપ સત્તામાં નથી, તેનો મતલબ એ નથી કે, તેમને ટ્રેન ન મળવી જોઇએ. પશ્ચિમ બંગાળને લઇને ફેક ન્યુઝ ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષ રાજ્યની નેગેટિવ ઇમેજ બનાવી રહ્યા છો, આ સવાલનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, જો કોઇની પાસે કામ નથી, તો તેઓ શું કરશે? તેઓ ગુમરાહ કરી રહ્યા છે. કેન્દ્રમાં તમારી સરકાર છે. અમે હંમેશા સાથે કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંધિય સ્ટ્રક્ચર છે. એમ ન વિચારો કે આ તમારો એકાધિકાર છે. આ આપણા દરેકનો અધિકાર છે.

હાવડા અને ન્યુ જલપાઇગુડીને જોડનારી વંદે ભારત એક્સપ્રેસ પર મંગળવારે બીજી વખત પત્થરમારો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30મી ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડા સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે અધિકારીઓએ ગુરુવારે દાવો કર્યો હતો કે, તેમણે ટ્રેન પર પત્થરમારો કરનારાની ઓળખ કરી લીધી છે. ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઇ ગયું હતું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.