સંસદનું સભ્યપદ પાછું મળી ગયું છતા, રાહુલ ગાંધી સરકારી બંગલામાં ન ગયા, જાણો કારણ

લોકસભા સાંસદ તરીકેનું સભ્યપદ રાહુલ ગાંધીને પાછું મળી ગયા પછી તેમને તરત જ તેમનો 12 તુગલેક લેન પર આવેલો સરકારી બંગલો ફાળવી દેવામાં આવ્યો હતો. પરંતુ, રાહુલ ગાંધી આ સરકારી બંગલામાં રહેવા ગયા નથી.એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ આ બંગલામાં રહેવા જવા માંગતા નથી. બંગલામાં વાપસી માટે જવાબ આપવાની અંતિમ તારીખ 23 ઓગસ્ટ, બુધવારની હતી, જે પુરી થઇ ગઇ છે, પરંતુ રાહુલ સરકારી બંગલામાં ગયા નથી.

રાહુલ ગાંધીએ બંગલામાં પાછા ફરવા માટે 15 દિવસની અંદર લોકસભા હાઉસીંગ કમિટીને જવાબ આપવાનો હતો. જેના માટે રાહુલ ગાંધીએ ઔપચારિક રીતે ઇન્કાર કર્યો હતો. હવે રિ-એલોટમેન્ટની જે ડેડલાઇન હતી તે ખતમ થઇ ગઇ છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલમાં કોંગ્રેસના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બંગલાના રિ-એલોટમેન્ટને સીધી રીતે અસ્વીકાર કરવામાં નહોતો આવ્યો. જો કે, કોંગ્રેસના સૂત્રોએ એ પણ કહ્યું કે, એવી સંભાવના છે કે રાહુલ ગાંધી સરકારી બંગલામાં રહેવા નહીં જાય.

રાહુલ ગાંધી 12, તુગલેક લેનના સરકારી બંગલામાં 19 વર્ષ રહ્યા હતા. મોદી સરનેમ માનહાની કેસમાં સુરતની કોર્ટના સજાના ચુકાદા પછી બીજા જ દિવસે તેમનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યુ હતું અને તેની સાથે તેમને સરકારી બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યુ હતું. એપ્રિલ મહિનામાં રાહુલે બંગલો ખાલી કરી દીધો હતો.

સરકારી બંગલામાં રહેવા જવા પર જ્યારે રાહુલને સવાલ પુછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતું કે, આખું હિંદુસ્તાન મારું ઘર છે. રાહુલ ગાંધીને વર્ષ 2004માં 12, તુગલેક લેન બંગલો ફાળવવામાં આવ્યો હતો,જ્યારે તેઓ પહેલીવાર ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ બન્યા હતા.

રાહુલના 12 તુગલક લેન વાળા બંગલા પછી, રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીના 10,જનપથ નિવાસ સ્થાન પછી બીજા શક્તિ કેન્દ્ર તરીકે રાહુલનો બંગલો ઉભરી આવ્યો હતો. પરંતુ આ વર્ષના એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરીને તેમની માતા સાથે રહેવા ગયા હતા.

મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, શક્ય છે કે રાહુલ ગાંધી સરકારી બંગલાને બદલે બીજો કોઇ વિકલ્પ શોધી રહ્યા હોય. રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા સાથે 7 સફદરજંગ લેન જોવા ગયા હતા. રાહુલ ગાંધીએ પોતાનું ઘર છોડતી વખતે કહ્યું હતું કે, તેમને સત્ય બોલવાની સજા મળી છે. આ ઘર તેમને ભારતની પ્રજાએ આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.