PM મોદીના મતક્ષેત્ર કાશીને લઇ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી આ મોટી માગ

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન વિરોધીઓનો દીપક બંધ થવાને આરે છે. માટે તેઓ વારે વારે સનાતન ધર્મ પર હુમલો કરી રહ્યા છે. સનાતન ધર્મને માનનારાઓએ ચિંતિત થવાની જરૂર નથી. બાલાજી પર વિશ્વાસ રાખો સનાતન ધર્મનો વિરોધ કરનારાઓના દિવસ પૂરા થઇ ગયા છે. ભારત એક હિંદુ રાષ્ટ્ર બનીને રહેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમવારે કાશી વિશ્વનાથ ધામમાં હાજરી લગાવી હતી. પાંચ બ્રાહ્મણોના નેતૃત્વમાં વૈદિક મંત્રોની વચ્ચે તેમણે કાશી વિશ્વનાથની ષોડશોપચાર પૂજા કરી. ગંગાજળ અને દૂધથી અભિષેક કર્યા.

તેમણે કહ્યું કે, કાશી, બાબા વિશ્વનાથ. કાલભૈરવ અને માં અન્નપૂર્ણાની નગરી છે. અહીં દરેક ગલીઓમાં પૌરાણિક ધર્મ સ્થળ છે. તેનાથી વિપરીત અહીં રસ્તાઓ પર ખુલ્લેઆમ માંસ અને માછલીઓ વેચાઇ રહી છે. જેના પર રોક લાગવી જોઇએ. માટે તેઓ સરકાર અને જિલ્લા તંત્રને માગ કરે છે કે તેઓ પહેલ કરે. ધીરેન્દ્ર શાસ્ત્રી બનારસ આવવાની સાથે એરપોર્ટથી સીધા કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા. ગર્ભગૃહમાં બાબાની પૂજા કરી. કાશી વિશ્વનાથ ધામમાં ફર્યા અને ભવ્યતાથી અભિભૂત થયા. ગંગા દ્વારથી મણિકર્ણિકા તીર્થને નમન કર્યું. લલિતા ઘાટના દાદર પર બેટા અને ગંગા પૂજન કર્યું.

દેશના હિંદુઓ જાગી રહ્યા છે

કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી તેમણે કહ્યું કે, અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે બાબા વિશ્વનાથ પાસેથી તેમણે ભારતના હિંદુ રાષ્ટ્ર થવાની કામના કરી છે. દેશના ઊંઘી ગયેલા હિંદુઓ હવે જાગી રહ્યા છે. તેનું પરિણામ એ છે કે, હવે દરેક જગ્યા પર રામરાજ્યની સ્થાપના થઇ રહી છે.

આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મથુરામાં પણ માંસ, માછલી અને મદીરાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્રજભૂમિ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે. અહીં પર મદિરાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના ઘણાં સ્થાનોને ધાર્મિક સ્થળ જાહેર કર્યા છે. જ્યાં માંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગવો જોઇએ.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.