દિગ્વિજય સિંહે જણાવ્યું-MPમા કોંગ્રેસ ચૂંટણી જીતી તો બજરંગ દળને બેન કરશે કે નહીં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, તેમની પાર્ટી મધ્ય પ્રદેશમાં હિન્દુવાદી સંગઠન બજરંગ દળ પર પ્રતિબંધ નહીં લગાવે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાનું આ નિવેદન રસપ્રદ છે કેમ કે કર્ણાટકમાં તેમની પાર્ટીનું પ્રાદેશિક ઉચ્ચ નેતૃત્વ બજરંગ દળ પર બેન લગાવવાની વાત કરતું રહ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં આ સંગઠનને પ્રતિબંધિત કરવાની વાત કહી હતી. ઘોષણા પત્રમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ પર પણ બેન લગાવવાના સમાચાર આવ્યા નથી.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ, દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશની રાજધાનીમાં બુધવારે એટલે કે 16 ઑગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “જો કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતે છે તો અમે મધ્ય પ્રદેશમાં બજરંગ દળ પર પ્રતિબંધ નહીં લગાવીએ. બજરંગ દળમાં કેટલાક સારા પણ લોકો હોય શકે છે, પરંતુ જે ગુંડાતત્વ છે, જે દંગા ફસાદ કરાવે છે એવા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ANIએ આ પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.

કર્ણાટકમાં કોંગ્રેસના બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાતનો હિન્દુ સંગઠન અને ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની એક સભામાં કહ્યું હતું કે, ‘આ એ જ કોંગ્રેસ છે જેણે પહેલા શ્રીરામને તાળામાં બંધ બંધ કર્યા. હવે બજરંગબલીને બંધ કરવાની વાત કરી રહી છે.' દિગ્વિજય સિંહ ભોપાલના માતા મંદિર ચોક પર અવંતી બાઈ લોધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા હતા. ત્યારે મીડિયાએ તેમને હિન્દુત્વની રાજનીતિ પર સવાલ કર્યો તો તેઓ બોલ્યા કે, ‘હું વડાપ્રધાન, ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પૂછવામાં માગું છું કે તેમણે ભારતીય સંવિધાનના શપથ લીધા છે કે હિન્દુ રાષ્ટ્રના શપથ લીધા છે?'

દિગ્વિજય સિંહે આ મુદ્દા પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નિવેદનનો બચાવ કર્યો. તેમણે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, ‘દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂરિયાત નથી, અહીં 80 ટકા હિન્દુ રહે છે. તે પહેલાથી જ હિન્દુ રાષ્ટ્ર છે. કહેવાની શું જરૂરિયાત છે? આ તો આંકડા જ બતાવે છે.’ દિગ્વિજય સિંહે કહ્યું કે, આ નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. કમલનાથે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર ક્યારેય પણ વાત કરી જ નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.