BJP નેતા સંબિત પાત્રા સળગતા અંગારા પર ઉઘાડા પગે ચાલ્યા, જાણો પરંપરા, Video

ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ મંગળવારે ઓડિશાના પુરીમાં ઝામુ યાત્રામાં પૂજા કરી હતી. આ દરમિયાન તેઓ લગભગ 10 મીટર સુધી સળગતા કોલસા પર ખુલ્લા પગે દોડ્યાહતા. તેમણે તેનો 24 સેકન્ડનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રા ઓડિશાના પુરી જિલ્લામાં ઝામુ યાત્રા દરમિયાન સળગતા કોલસા પર ઉઘાડા પગે ચાલ્યા હતા. કોલસાના અંગારા પર ભાજપ નેતા પાત્રા 10 મિનિટ સુધી ચાલ્યા હતા, તેમણે પોતાની ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે. સંબિત પાત્રાઅ કહ્યું કે હું તો ધન્ય થઇ ગયો. સળગતા અંગારા પર ચાલવાની આ પંરપરા વિશે જાણો.

ભાજપના નેતા ડો, સંબિત પાત્રાએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે મેં પુરી જિલ્લાના સમાંગ પંચાયતના રેબતી રમણ ગામમાં તીર્થયાત્રામાં ભાગ લીધો, અંગારા પર ચાલીને માતાનું પૂજન કર્યું અને આર્શીવાદ લીધા. પાત્રાએ કહ્યું કે, આ પ્રસંગે ગામના લોકોની સુખ સમૃદ્ધિની કામના કરી હતી. આ તીર્થયાત્રામાં આગ પર ચાલીને માતાના આર્શીવાદ પ્રાપ્ત કરીને મેં ધન્યતા અનુભવી છે.

મીડિયા સાથેની વાતચીતમાં ડો. સંબિત પાત્રાએ કહ્યુ કે તેમણે લોકોના કલ્યાણ અને પ્રદેશની શાંતિ માટે ઉઘાડા પગે આગ પર ચાલવાનું કામ કર્યું હતું. પરંપરા મુજબ, ઝામુ યાત્રા એક તપસ્યા છે અને ભક્ત પોતાની ઇચ્છાઓ પુરી કરવા અને દેવી માતાને પ્રસન્ન કરવા માટે ઉઘાડા પગે સળગતા અંગારા પર ચાલે છે.

ઝામુ યાત્રા'દેવી 'મંગલા'નો એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર છે અને ઓડિશાના પુરી જિલ્લાના કાકતપુર બ્લોકમાં ઉજવવામાં આવે છે. તે દર વર્ષે પવિત્ર વૈશાખ મહિનાના પ્રથમ મંગળવાર(14 એપ્રિલથી 15 મે)થી ઉજવવામાં આવે છે.  આ પ્રસંગે, ભક્તો 'પ્રાચી' નદીમાંથી પવિત્ર જળ એકત્રિત કરે છે અને દેવતાના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે. ભક્તો નદીના પવિત્ર જળથી ભરેલા માટીના વાસણો સાથે ચેનલમાં સળગતા કોલસા પર ચાલતા હતા. એવું માનવામાં આવે છે કે દેવતાના આશીર્વાદ અગ્નિના અંગારા પર ચાલતી વખતે ભક્તોને નુકસાન થવાથી બચાવે છે. ઝામુ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ કાકતપુરની મુલાકાત લે છે.

ડો, સંબિત પાત્રા વર્ષ 2019માં ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ BJDના ઉમેદવાર સામે 10000 વોટથી હારી ગયા હતા. ન્યૂઝ ચેનલો પર ચાલતી ડિબેટમાં ડો. પાત્રાને તમે વારંવાર જોતા હશો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.