દલિત પરિવારના લગ્ન પર પથ્થરમારો, BJP નેતા સહિત 15 સામે FIR

ઉત્તર પ્રદેશના એટામાં દલિત પરિવારના ઘરે લગ્ન સમારોહાં પત્થરમારાની ઘટના બની છે. દલિત સફાઇ કર્મચારીના ઘરમાં મહિલા સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે વખતે એક દલિત યુવક ટેંટનો સામાન લઇને આવી રહ્યો હતો. , તેનો ઉચ્ચ જાતિના વ્યક્તિ સાથે વિવાદ થયો હતો, ત્યારબાદ કથિત ઉચ્ચ જાતિના લોકોએ દલિત વસાહત પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસS BJP નેતા સહીત 15 સામે FIR કરી છે.

આ સમગ્ર મામલો એટા જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશન કસ્બા રાજાના મહોલ્લા કહરાન અને કછપુરાનો છે. પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, 12 જાન્યુઆરીએ સાંજે લગભગ 7:30 વાગ્યે, પીડિત પરિવારનો એક સંબંધી ટેંટનો સામાન લઈને કહારન શેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એટલા માટે ચંદન નામના વ્યક્તિએ અપશબ્દો અને જાતિ સૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચંદન કશ્યપ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચામાં સહ કાર્યાલય પ્રભારી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચંદનની આગેવાની હેઠળ ટોળાએ દલિત વસ્તી પર હુમલો કર્યો હતો.

પીડિત રાજેન્દ્રએ કહ્યુ હતું કે એ લોકોએ પત્થર મારો કર્યા પછી પણ જૂથ બનાવીને ઉભા રહ્યા હતા. એ લોકોએ જાતિ સૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને અમારા ઘરમાં ઘુસીને ઇંટો અને પત્થરો ફેંકીને તોડોફોડ કરી હતી. પોલીસે ભાજપ નેતા સહિત 15 સામે FIR   કરી છે, પરંતુ અમારા વિસ્તારમાં હજુ પણ ગભરાટનો માહોલ છે એમ રાજેન્દ્રએ કહ્યુ હતું.

પોલીસે ગુનો તો નોંધી દીધો છે, પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.રાજેન્દ્રએ કહ્યુ કે મારી પુત્રીના લગ્ન કાસગંજના અમાંપુર થવાની છે. મને ડર છે કે એ લોકો જાન પર હુમલો ન કરી દે.

ઇટાના એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ ધનંજય સિંહ કુશવાહાએ જણાવ્યું કે, 12 જાન્યુઆરીની રાત્રે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. શાંતિ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળ પર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે, સ્થળ પર શાંતિ જાળવવામાં આવી છે. સીઓ અલીગંજ વિક્રાંત દ્વિવેદી ઘટનાના આ સમગ્ર ક્રમની તપાસ કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર ભદોરિયાએ કહ્યું હતું કે આ ઘટનામાં પોલીસે FIR નોંધી છે. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવશે એ પ્રમાણે સંગઠન કાર્યવાહી કરશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.