સીમા હૈદર અને સચિનની વધી મુશ્કેલી, લગ્ન કરાવનાર પંડિતને કોર્ટે મોકલી નોટિસ

પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવીને લગ્ન કરનારી સીમા હૈદરની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. સીમા અને સચિને પોતાના લગ્નની વર્ષગાંઠ મનાવી હતી, જેને સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે કોર્ટમાં અરજી દાખલ કરીને પડકાર આપ્યો હતો. આ કેસમાં કોર્ટે સીમા અને સચિનના લગ્ન કરાવનાર વકીલ એ.પી. સિંહ, પંડિત અને જાનૈયાઓને નોટિસ મોકલી છે. ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, તેમની અરજી જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટ સ્વીકારી લીધી છે.

કોર્ટે લગ્ન કરાવનારા પંડિતને સમન્સ પાઠવ્યા છે. એ સિવાય ગુલામ હૈદરે સીમા સાથે ભારત આવેલા પોતાના સગીર બાળકોના ધર્મ પરિવર્તન પર પણ સવાલ ઉઠાવ્યો છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 27 મેના રોજ થશે. ગૌતમ બુદ્ધ નગરની ફેમિલી કોર્ટે સીમા, સચિન, એ.પી. સિંહ, પંડીર અને જાનૈયાઓને 25 મેના રોજ હાજર થવા કહ્યું છે. વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, જો આ બધા 25 મેના રોજ હાજર થતા નથી તો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એકતરફી સુનાવણી થઈ શકે છે.

સીમા હૈદરનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર જલદી જ ભારત આવી શકે છે. ગુલામના વકીલ મોમિને જણાવ્યું કે, જલદી જ જુબાની આપવા માટે તે ભારત આવી શકે છે. ગુલામ પાસે પૂરતા પુરાવા છે, જેને તે કોર્ટમાં રજૂ કરશે. વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, કાગળોમાં આજે પણ સીમા હૈદરની પત્ની છે, તો પછી કયા આધાર પર આ બધા સીમાને સચિનની પત્ની કહે છે. જે ગેરકાયદેસર છે. સીમા હૈદરને સચિનની પત્ની કહેવા પર આ બધા લોકોને નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ અગાઉ ગુલામ હૈદરે સીમા હૈદર અને સચિન મીણાને 6 કરોડની માનહાનિની નોટિસ મોકલી હતી. ભારતમાં ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે આ નોટિસ મોકલી હતી. એટલું જ નહીં મોમિન મલિકે સીમા હૈદરના વકીલ એપી સિંહને પણ 5 કરોડની નોટિસ મોકલી હતી. નોટિસ મોકલીને મલિકે કહ્યું હતું કે, એક મહિનાની અંદર ત્રણેય માફી માગે અને દંડ જમા કરાવે નહીં તો ત્રણેય પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.