સીમા હૈદર અને સચિનની વધી મુશ્કેલી, લગ્ન કરાવનાર પંડિતને કોર્ટે મોકલી નોટિસ

પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવીને લગ્ન કરનારી સીમા હૈદરની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. સીમા અને સચિને પોતાના લગ્નની વર્ષગાંઠ મનાવી હતી, જેને સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે કોર્ટમાં અરજી દાખલ કરીને પડકાર આપ્યો હતો. આ કેસમાં કોર્ટે સીમા અને સચિનના લગ્ન કરાવનાર વકીલ એ.પી. સિંહ, પંડિત અને જાનૈયાઓને નોટિસ મોકલી છે. ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, તેમની અરજી જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટ સ્વીકારી લીધી છે.

કોર્ટે લગ્ન કરાવનારા પંડિતને સમન્સ પાઠવ્યા છે. એ સિવાય ગુલામ હૈદરે સીમા સાથે ભારત આવેલા પોતાના સગીર બાળકોના ધર્મ પરિવર્તન પર પણ સવાલ ઉઠાવ્યો છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 27 મેના રોજ થશે. ગૌતમ બુદ્ધ નગરની ફેમિલી કોર્ટે સીમા, સચિન, એ.પી. સિંહ, પંડીર અને જાનૈયાઓને 25 મેના રોજ હાજર થવા કહ્યું છે. વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, જો આ બધા 25 મેના રોજ હાજર થતા નથી તો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એકતરફી સુનાવણી થઈ શકે છે.

સીમા હૈદરનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર જલદી જ ભારત આવી શકે છે. ગુલામના વકીલ મોમિને જણાવ્યું કે, જલદી જ જુબાની આપવા માટે તે ભારત આવી શકે છે. ગુલામ પાસે પૂરતા પુરાવા છે, જેને તે કોર્ટમાં રજૂ કરશે. વકીલ મોમિન મલિકે જણાવ્યું કે, કાગળોમાં આજે પણ સીમા હૈદરની પત્ની છે, તો પછી કયા આધાર પર આ બધા સીમાને સચિનની પત્ની કહે છે. જે ગેરકાયદેસર છે. સીમા હૈદરને સચિનની પત્ની કહેવા પર આ બધા લોકોને નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ અગાઉ ગુલામ હૈદરે સીમા હૈદર અને સચિન મીણાને 6 કરોડની માનહાનિની નોટિસ મોકલી હતી. ભારતમાં ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે આ નોટિસ મોકલી હતી. એટલું જ નહીં મોમિન મલિકે સીમા હૈદરના વકીલ એપી સિંહને પણ 5 કરોડની નોટિસ મોકલી હતી. નોટિસ મોકલીને મલિકે કહ્યું હતું કે, એક મહિનાની અંદર ત્રણેય માફી માગે અને દંડ જમા કરાવે નહીં તો ત્રણેય પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts

Top News

બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક...
National 
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત...
Gujarat 
વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન...
Sports 
બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર

કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?

કેનેડા દ્વારા 15-17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવામાં આવશે. આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ...
World 
કેનેડાએ હજુ ભારતને G-7 સમિટનું આમંત્રણ નથી મોકલ્યું, શું છે કારણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.