10થી વધુ વાર ફેલ થયા પણ હાર ન માની અને બની ગયા IAS, વાંચો આમની સક્સેસ સ્ટોરી

કોઈ પણ પરીક્ષામાં ફેલ થયા બાદ, કોઈ પણ વ્યક્તિ હોય તેની અંદર એક નિરાશા આવી જાય છે, પણ એક વ્યક્તિ જેને 13 વખત ફેલ થયા બાદ પણ હિંમત ન હારી અને દર વખતે એક નવા જુસ્સાની સાથે આગળ વધવા માટે પોતાને તૈયાર કર્યા. અંતે, તે પોતાના UPSCના ટાર્ગેટને અચીવ કરવામાં સફળ રહ્યા અને IAS બની ગયા.

આ જ IAS અધિકારીનું ટ્વીટ હવે વાયરલ થઇ રહ્યું છે, જે તેમને પોતે શેર કર્યું છે અને જણાવ્યું છે કે, તે કેટલી વખત અને કેટલી પરીક્ષાઓમાં ફેલ થયા. તેમના આ ટ્વીટ પર અનેક યૂઝર્સે પોતાના અનુભવ શેર કર્યા છે, અનેક લોકોએ આ ટ્વીટને પ્રેરણાદાયક ગણાવ્યું છે, જે પણ લોકો આ દિવસોમાં પરીક્ષાઓમાં નિષ્ફળ રહ્યા છે અથવા અનેક પ્રયત્નો કર્યા છતાં અત્યાર સુધી સફળ થઇ શક્યા નથી, તે બધા માટે આ ટ્વીટ એક નવી કિરણની જેમ છે.

IAS અવનીશ શરણ 2009ના છત્તીસગઢ કેડરનાં અધિકારી છે, તે હંમેશાં પ્રેરણાદાયક ટ્વીટ કરતા રહે છે. પણ, આ સમયે તેમને પોતાની નિષ્ફળતા સાથે જોડાયેલી કહાની ટ્વીટ કરીને લોકોને જણાવી છે, આ ટ્વીટમાં તેમને જણાવ્યું કે, તે 13 વખત ફેલ થયા બાદ UPSC પરીક્ષા ક્રેક કરી શક્યા હતા.

તેમને પોતાના ટ્વીટમાં અલગ-અલગ પરીક્ષાઓના ટકા વિશે પણ જણાવ્યું છે. અવનીશ શરણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, ધો.10મા 44.7%, ધો.12મા 65% અને ગ્રેજ્યુએશનમાં 60% મેળવ્યા છે. જો કે, અવનીશ શરણે બીજા પ્રયત્નમાં UPSC પરીક્ષા આપી હતી, તો તેમનો ઓલ ઈન્ડિયા રેન્ક 77 હતો.

આના પહેલા પણ અવનીશ શરણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને પોતાની 10મા ધોરણની માર્કશીટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ધો.10મા IAS અવનીશની થર્ડ ડિવીઝન આવ્યું હતું.

નિખિલ શ્રીવાસ્તવ નામના યૂઝરે લખ્યું કે, ‘TEDx ને તમને બોલાવવું જોઈએ, જેથી પર્સેન્ટેજને લઈને જે ભ્રમ બનેલો છે, તે ઓછામાં ઓછો થઇ ખતમ થાય.’

અવનીશ શરણનું આ ટ્વીટ વાયરલ થયા બાદ હવે યૂઝર્સ પણ તેમના જ ફોરમેટમાં પોતાની કહાની શેર કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ ટ્વીટથી ખૂબ જ આત્મબળ મળી રહ્યો છે. તેમજ, અનેક વિદ્યાર્થી જે પરીક્ષાઓમાં ફેલ થયા, તે પણ IAS અધિકારી અવનીશ શરણની કહાનીથી પ્રભાવિત જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.