‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, આચાર્યો અને પીઠાધીશ્વરો તેમજ વિવિધ પરંપરાના સંતોએ ભાગ લીધો હતો. આ ધર્મસભામાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માગ કરવામાં આવી હતી. સાથે આ દરજ્જો નહીં મળે તો દિલ્હી કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આ ધર્મસભામાં 3 પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરાયા હતા. તેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌવધ પર એકસમાન અને કડક કાયદો બનાવવો અને ગૌ માતાના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

dharma-sabha2
patrika.com

ગૌ માતા ઉચ્ચ અધિકાર સમિતિ દ્વારા આયોજિત થયેલી ધર્મસભામાં જે મુખ્ય માંગ કરવામાં આવી છે, આ માંગોને સરકાર નહીં માને તો માર્ચ મહિનામાં દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો 3 મહિનામાં માંગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે, તો દેશભરના સાધુ-સંતો, મહાત્માઓ, અનુયાયીઓ સાથે દિલ્હી કૂચ કરશે. જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ દિલ્હીથી પરત નહીં ફરે.

જયપુરની એક ફાઇવ સ્ટાર હોટલમાં આયોજિત આ ધર્મસભાનું આયોજન મહામંડલેશ્વર કમ્પ્યુટર બાબાએ કર્યું હતું. આ ધર્મસભાની અધ્યક્ષતા આવાહન અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રકાશાનંદ ગિરીજી મહારાજે કરી હતી. આ સંમેલનમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, તેમાં માત્ર ધર્માચાર્યો જ સામેલ હતા.

કહેવામાં આવ્યું કે, ગાયના રક્ષણ માટે હવે એક આંદોલન શરૂ કરવું જ પડશે. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળ્યા બાદ જ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો થશે. ધાર્મિક સભામાં કહેવામાં આવ્યું હતું કે ગાય માટે દિલ્હી કૂચ ધર્મના રક્ષણ માટે હશે. કોઈ પણ સરકાર કે પક્ષ ગાય પ્રત્યે ગંભીર નથી. સનાતનીઓની પાર્ટી અને સરકાર હોવાનો દાવો કરનારા પણ ગૌ માતા માટે કંઈ કરી રહ્યા નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.