રાહુલ ગાંધી વિશે જર્મનીની ભારતને સલાહ- આશા છે કે લોકતાંત્રિક રીતે નિર્ણય લેવાશે

રાહુલ ગાંધીની સદસ્યતાના મામલામાં જર્મનીએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, અમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયની નોંધ લીધી છે.

નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય વિપક્ષી રાજનેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લેવામાં આવેલા નિર્ણયની સાથે સાથે તેમની સભ્યપદના મુદ્દાની પણ નોંધ લીધી છે.

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, 'અમારી માહિતી અનુસાર, ગાંધી આ નિર્ણયને પડકારતી તેમની અપીલ દાખલ કરી શકે છે.'

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો રાહુલ ગાંધીના કેસમાં લાગુ થશે.'

જર્મન વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે જર્મન વિદેશ મંત્રાલયનો આભાર માનતા ટ્વીટ કર્યું હતું.

દિગ્વિજયે કહ્યું, 'રાહુલ ગાંધીને પરેશાન કરીને ભારતમાં લોકશાહી સાથે કેવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે તેની નોંધ લેવા માટે જર્મન વિદેશ મંત્રાલય અને રિચર્ડ વોકરનો આભાર.'

અહીં તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયાની શરૂઆતમાં US સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે, અમેરિકા ભારતીય અદાલતોમાં રાહુલ ગાંધીના કેસની તપાસ કરી રહ્યું છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. મોદી સરનેમ અંગે 23 માર્ચના આદેશ બાદ તેમની સદસ્યતા જતી રહી હતી.

લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, 23 માર્ચે તેમની વિરુદ્ધના આદેશ પછી તરત જ તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. સુરતની એક કોર્ટે એક દિવસ પહેલા જ તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમને બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના ચાર વર્ષ બાદ સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી, જેના પછી તરત જ તેમને જામીન મળી ગયા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.