મુસાફરોને એરપોર્ટ પર જ છોડીને રવાના થયેલી એરલાઈને માગી માફી, આપી આ મોટી ઓફર

ગો ફર્સ્ટ એરલાઈન્સની (Go First) એક ફ્લાઈટ સોમવારના રોજ મુસાફરોને લીધા વગર જ બેંગલુરુથી દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ હતી. આ પછી મુસાફરો માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ મામલામા DGCA સક્રિય થયા બાદ ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોને ફ્રી ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈને કહ્યું કે, તમામ 55 અસરગ્રસ્ત મુસાફરો એક વર્ષમાં ગમે ત્યારે મુસાફરી કરવા માટે મફત ટિકિટ લઈ શકે છે. એરલાઇન આ ટિકિટ તેમને અપાવશે.

ઉડ્ડયન નિયમનકાર DGCAએ કહ્યું કે, આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ સાથે જ તેમણે કહ્યું કે Go First એરલાઇન જરૂરી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. DGCAએ કહ્યું કે નિયમો મુજબ, સંબંધિત એરલાઇન કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ, લોડ અને ટ્રિમ શીટની તૈયારીની સાથો સાથ કાર્ગોને હેન્ડલ કરવા માટે વ્યવસ્થા કરવા માટે જવાબદાર છે.

DGCAએ Go First એરલાઇન્સને એ પણ સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે, મુસાફરોને હેન્ડલ કરવામાં લાગેલા તમામ કર્મચારીઓની શૉફ્ટ સ્કિલ ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવે જેનાથી મુસાફરોની મદદ માટે સારું વાતાવરણ તૈયાર થઈ શકે.

DGCAએ આ મામલામા ગો ફર્સ્ટના મેનેજર લેવલના અધિકારીને કારણ બતાવો નોટિસ જારી કરી છે કે, તેમના દ્વારા નિયમો અને ફરજની અવગણના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે. અધિકારીને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જવાબના આધાર પર જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે, Go First એરલાઈને સમગ્ર મામલે માફી માંગતા કહ્યું છે કે, બેંગ્લોરથી દિલ્હી જતી ફ્લાઈટ G8 116 દ્વારા અજાણતા થયેલી ભૂલને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના માટે અમે માફી માંગીએ છે.

શું છે મામલો?

સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદોનું માનવામાં આવે તો, પ્લેન 54 મુસાફરોને છોડીને ટેકઓફ કરી ગયું હતું. આ મુસાફરો રનવે પર બસમાં જ બેસી રહ્યા હતા.

એરપોર્ટ પર પરેશાન થતા રહ્યા મુસાફરો

એક સોશિયલ મીડિયા યુઝરે બેંગલુરુ એરપોર્ટનો એક વીડિયો શેર કરીને કહ્યું કે, Go Firstની બેંગલુરુથી દિલ્હી જતી G8116 ફ્લાઇટ 54 મુસાફરોને લીધા વિના જ રવાના થઈ ગઈ હતી. ફ્લાઈટમાં આ 54 મુસાફરોનો સામાન હતો. પરંતુ આ પેસેન્જરોને લીધા વગર જ પ્લેન રવાના થઈ ગયું. યુઝરે લખ્યું હતું કે, ઘણા મુસાફરો એરપોર્ટ પર પરેશાન થઈ રહ્યા છે.

બોર્ડિંગ પાસ લઈ ચૂક્યા હતા મુસાફરો

એક અન્ય સોશિયલ મીડિયા યુઝરે ટ્વીટ કર્યું કે, 'G8116 બેંગ્લોરથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ રનવે પર જ મુસાફરોને છોડી ગઈ. જો કે, આ મુસાફરો ગેટ નંબર 25 પરથી બોર્ડિંગ પાસ લઈ ચૂક્યા હતા.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.