કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ કહી હતી આ 5 વાતો, જેના પર સંસદમાં થયો હોબાળો

સંસદના બજેટ સત્રનું બીજું ચરણ આજે શરૂ થઈ ગયું છે. સત્ર શરૂ થતા જ રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદનોને લઈને લોકસભા અને રાજ્યસભામાં ખૂબ હોબાળો થયો. ભાજપના નેતા રાજનાથ સિંહ અને પિયુષ ગોયલે રાહુલ ગાંધીને દેશ પાસે માફી માગવા કહ્યું. આખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એવું શું કહ્યું હતું, જેના કારણે રાહુલ ગાંધી ઘેરાઈ ગયા છે, ચાલો જાણીએ આર્ટિકલમાં.

  1. ભારતનું લોકતંત્ર જોખમમાં:

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સરકાર અને એજન્સીઓને લઈને નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં બધી સ્વતંત્ર એજન્સીઓ પર કબજો થઈ ગયો છે અને તેના કારણે દેશમાં લોકતંત્ર જોખમમાં છે. ભારતમાં વિપક્ષ સાથે સાથે લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

  1. સંસદ, ન્યાયપાલિક અને ચૂંટણી પર પણ ઉઠાવ્યા સવાલ:

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે, ભારતમાં અલગ અલગ સ્વતંત્ર સંસ્થાઓ પણ જોખમમાં છે. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, અલગ અલગ સંસ્થાઓ પર કબજો થઈ ચૂક્યો છે, જેથી લોકતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પછી, સંસદ, કોર્ટ, પ્રેસ કે ચૂંટણી આયોગ હોય બધા પર કોઈક ને કોઈક પ્રકારે નિયંત્રણ કરી લેવામાં આવ્યું છે.

  1. RSS કટ્ટરપંથી સંગઠન:

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમ પણ કહ્યું કે, ભારતમાં લોકતંત્રને જોખમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નામના સંગઠનથી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવું સંગઠન છે, જેણે પોતાની કટ્ટરપંથી અને ફાંસીવાદી વિચારને આગળ વધારવા માટે ભારતની સંસ્થાઓ પર કબજો કરી રખ્યો છે.

  1. વિપક્ષી નેતાઓ અને લઘુમતીઓ પર થઈ રહ્યો છે હુમલો:

રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું કે, ભારતમાં લઘુમતીઓ પર નિશાનો બનાવવામાં આવી રહ્યા છે અને તેના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. દેશમાં વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એટલે તેમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIની છાપેમારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

  1. ફોનથી પેગાસસથી જાસૂસી:

કોંગ્રેસ નેતાએ લંડનમાં એમ પણ કહ્યું કે, તેમના ફોનમાં પેગાસસ જેવું સોફ્ટવેર નાખીને જાસૂસી કરવાનો પ્રયત્ન કર્યો. તેની જાણકારી પોતે ઇન્ટેલિજેન્સ વિભાગના અધિકારીઓએ તેમને આપી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.