ધીરેન્દ્ર શાસ્ત્રીથી પ્રભાવિત રૂખ્સાના રૂકમણી બનીને હિન્દુ મિત્ર સાથે પરણી

કહેવાય છે કે પ્રેમની ટ્રેન ચાલે છે તો માર્ગમાં આવનારી ધર્મ જાતિની દીવાલો તૂટી જાય છે. બિહારના વૈશાળીથી એક આવું જ અનોખુ ઉદાહરણ સામે આવ્યું છે. મુસ્લિમ અને હિન્દુ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા બે યુવા જિંદગીભર માટે સાથે રહેવાના સોગંધ ખાધા. મુસ્લિમ સમાજથી આવતી રૂખ્સાનાએ સનાતન ધર્મને સ્વીકારી લીધો અને પોતાના હિન્દુ મિત્ર રોશન સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રભાવ સ્પષ્ટ દેખાયો.

વૈશાલીના લાલગંજ સ્થિત અર્ધનારીશ્વર મંદિરમાં થયેલા લગ્નના સાક્ષી સેકડો લોકો બન્યા, જેમાં મોટી સંખ્યામાં યુવા સામેલ હતા. વર બનેલા રોશન કુમારના પરિવારજનો સહિત આખા વિસ્તારના લોકો આ લગ્નથી ખૂબ ખુશ છે. ઉપસ્થિત લોકોએ બંનેની ભાવનાઓનું તાળી વગાડીને સ્વાગત કર્યું. બિહારના વૈશાળીમાં મંજિલ પર પહોંચેલા આ પ્રેમની કહાનીની શરૂઆત 4 વર્ષ અગાઉ ગુલાબી શહેર જયપુરમાં થયા. મુઝફ્ફરપુરના એક ગામની રહેવાસી રૂખ્સાના અન્સારીની મુલાકાત વૈશાલી લાલગંજના રહેવાસી રોશન કુંવર સાથે જયપુર કોલેજમાં થઈ.

મુલાકાત ઓળખમાં બદલાઈ અને ઓળખ ધીરે ધીરે પ્રેમમાં પરિણમી ગઈ. મોબાઈલે બંને વચ્ચે સેતુનું કામ કર્યું. ખબર નહીં ક્યારે બંને એક-બીજાની એટલી નજીક આવી ગયા કે જીવનભર સાથે રહેવાના સોગંધ ખાઈ લીધા. રૂખ્સાના અને રોશનના લગ્ન વચ્ચે ધર્મની દીવાલ ઊભી હતી. સાથે ચાલવા માટે રૂખ્સાનાએ મોટો નિર્ણય લીધો. તે બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના પટના કાર્યક્રમથી પ્રભાવિત થઈ ગઈ. તેણે પોતે પોતાનો ધર્મ બદલવાનો નિર્ણય લીધો. નદીઓના પવિત્ર જળથી હિન્દુ રીત-રીવાજ હેઠળ રૂખ્સાનાને હિન્દુ ધર્મમાં પ્રવેશ અપાવ્યો અને તેનું નામ રૂકમણી રાખવામાં આવ્યું.

બંનેના લગ્ન કારવાનારા પંડિત કમલાકાંત પાંડેએ હિન્દુ રીત-રિવાજથી લાલગંજના રેપુરા ગામ સ્થિત અર્ધનારીશ્વર મહાદેવ મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા. આ અનોખા લગ્ન જોવા માટે ઘણા ગામના લોકો ઉમટી પડ્યા. બધાએ મળીને વર-વધુને આશીર્વાદ આપ્યા. આ અવસર પર રૂક્સનાએ આગળ આવીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા. તેણે જણાવ્યું કે, પટનામાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પ્રવચન થયું, તેનાથી પ્રેરણા મળી. પ્રેમ માટે તેણે હિન્દુ બનવાનું સ્વીકાર્યું અને રૂકમણી બની ગઈ. તેણે જણાવ્યું કે, લગ્નથી ખૂબ ખુશ છે. બીજી તરફ રોશનના માતા-પિતાએ પણ કહ્યું કે દીકરા અને વહુના નિર્ણયથી તેમને ખૂબ ખુશી મળી. આ લગ્ન યુવાઓ માટે ઉદાહરણ બનશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.