મારે રસ્તા પર ચાલવાનો ઓલિમ્પિક રેકોર્ડ નથી બનાવવોઃ પ્રશાંત કિશોર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ હરિયાણામાં છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાએ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે અને તેમાં કોઇ બેમત નથી. જોકે, રાજકારણના મેદાનમાં આ યાત્રાને લઇને હજુ પણ કેટલાક સવાલ ઉભા થઇ રહ્યા છે. હવે ચૂંટણી રણનીતિકાર સાથે રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે ભારત જોડો યાત્રાને નજરમાં રાખતા શનિવારે 7મી જાન્યુઆરીના રોજ કહ્યું કે, તે મોટા લોકો છે.

IPACના સંસ્થાપક પ્રશાંત કિશોર પણ આ સમયે બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. પત્રકારોના એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, તે મોટા લોકો છે. તેમની સરખામણીમાં તો હું કંઇ જ નથી. કિશોરે કહ્યું કે, કોંગ્રેસ મોટી પાર્ટી છે અને રાહુલ ગાંધી ઘણા મોટા માણસ છે અને તેઓ રાષ્ટ્રીય સ્તર પર મોટા પ્રયાસો કરી રહ્યા છે.

પ્રશાંત કિશોરે કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી 3500 કિલોમીટર લાંબી યાત્રા પર છે. મારા માટે કિલોમીટર મહત્વના નથી. હું ઓક્ટોબરથી થોભ્યા વગર ચાલી રહ્યો છું, પણ હું પોતાની શારીરિક ફિટનેસના પૂરાવાના રૂપમાં તેને નથી બતાવવા માગતો. તેમણે કહ્યું કે, મારા માટે યાત્રા સમાજને નીચલા સ્તર પર સમજવાનો પ્રયાસ છે અને તેનું સમાધાન પણ લોકોના માધ્યમથી કાઢવાનું છે.

IPACના સંસ્થાપક પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર પરોક્ષ રૂપે કટાક્ષ કરતા કહ્યું કે, રસ્તા પર ચાલવાનો મારે ઓલિમ્પિક રેકોર્ડ નથી બનાવવાનો, કે મારે નથી બતાવવું કે હું કેટલો ફિટ છું. મારે જનતાની સમસ્યાને સમજવાની છે, તેથી મારી યાત્રાની તેની સાથે કોઇ તુલના નથી.

તેમણે આગળ કહ્યું કે, આ છઠ્ઠની તપસ્યાની જેમ છે. એક પાણીનો ઘુંટ લઇ શકાય છે, પણ સાચા ભક્ત એ રીતની સમજૂતી નથી કરતા અને 36 કલાકનો ભીષણ ઉપવાસ પૂરો કરે છે. કિશોરે ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, નવા વર્ષ પર મેં નથી બ્રેક લીધો અને નથી હું ઘરે ગયો, આ મારા માટે નથી.

પ્રશાંત કિશોર પહેલી વખત 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના શાનદાર સફળ અભિયાનને સંભાળ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ, તેમણે કેટલાક રાજકીય દળો માટે ચૂંટમી પ્રચારની જવાબદારી સંભાળી. વર્ષ 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઇ અને ત્યાં તેમણે મમતા બેનર્જીને ફરી એક વાર જીત અપાવી.

આ દરમિયાન, IPACના સંસ્થાપકે નીતીશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ, અમરિંદર સિંહ, જગન મોહન રેડ્ડી અને ચંદ્રશેખર રાવ જેવા કેટલાક નેતાઓ સાથે કામ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.