મને મરી જવાનું પસંદ, પણ ભાજપ સાથે જવાનું નહીં: CM નીતિશ કુમાર

બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ (JDU)માં મચેલા રાજકીય ધમાસણ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે નહીં જઇએ. મને મરી જવાનું પસંદ છે, પરંતુ ભાજપ સાથે જવાનું નહીં. અમે લોકો અટલજીને માનનારા લોકો છીએ. તેમણે દાવો કર્યો કે, અમે ભાજપને છોડી દીધી હતી, પરંતુ બળજબરીપૂર્વક પાછળ પડતા સાથે આવ્યા.

વર્ષ 2020માં અમે તો મુખ્ય મંત્રી બનવા માગતા નહોતા, પરંતુ તેમણે જે કર્યું તે બધાએ જોયું. અમે લોકોએ તેમને એટલી ઇજ્જત આપી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, એક વખત ચૂંટણી તો થવા દો, બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટ આવે છે. નીતિશ કુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહ સતત તેમના પર નિશાનો સાધી રહ્યા છે.

ઉપેન્દ્ર કુશવાહે દાવો કર્યો હતો કે, જનતા દળના મોટા નેતા ભાજપના સંપર્કમાં છે. આ અગાઉ જ્યારે ઉપેન્દ્ર કુશવાહ AIIMSમાં દાખલ થયા હતા, તો તેમની તસવીર પણ કેટલાક ભાજપના નેતાઓ સાથે સામે આવી હતી. ત્યારબાદ ઉપેન્દ્ર કુશવાહના ભાજપમાં સામેલ થવાના અનુમાન લગાવવામાં આવવા લાગ્યા હતા. જો કે, કુશવાહે કહ્યું કે, તેઓ જનતા દળ છોડીને જવાના નથી.

આ અગાઉ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, હવે ભાજપ કોઇ પણ કિંમત પર નીતિશ કુમાર સાથે સમજૂતી નહીં કરે. સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, પ્રદેશ કાર્યસમિતિમાં બિહાર પ્રભારી વિનોદ તાવડે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નીતિશ કુમાર કોઇ પણ ગઠબંધન માટે ભાર બની ચૂક્યા છે. નીતિશમાં વોટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા સમાપ્ત થઇ ચૂકી છે. વર્ષ 2020માં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પ્રચાર ન કર્યો હોત તો JDU 15 સીટ પણ જીતી ન શકતી. નીતિશ જતા રહેવાથી ભાજપ ખુશ છે.

નીતિશ કુમારે ભાજપના નેતાઓના એ નિવેદન પર પલટવાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ હવે જનતા દળ કે નીતિશ કુમાર સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે. તેની જાહેરાત બિહારના પ્રભારી વિનોદ તાવડેએ કરી. ત્યારબાદ સુશીલ મોદીએ મીડિયાને એ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, નીતિશ કુમારે બધા સાથે છળ કર્યું છે. નીતિશ કુમારે લાલુ યાદવ, જોર્જ ફર્નાન્ડીઝ, શરદ યાદવ સાથે છળ કર્યું. અંતમાં ભાજપને પોતાની શિકાર બનાવી. તેમણે જનાદેશનું અપમાન કર્યું. તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપમાનિત કર્યા એટલે હવે ભવિષ્યમાં તેમની સાથે ભાજપ ક્યારેય નહીં જાય.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.