અત્યારે લોકસભાની ચૂંટણી કરવામાં આવે તો કોની સરકાર બને? લોકોએ આ જવાબ આપ્યો

આવતા વર્ષે એટલે કે 2024માં 18મી લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ જીત માટે દરેક બૂથને મજબુત કરવા પર ભાર આપી રહી છે. વિપક્ષ પણ તૈયારીમાં લાગી ગયો છે. કોંગ્રેસે પાર્ટી મજબુત કરવા માટે ભારત જોડા યાત્રાનો સહારો લીધો છે. આગામી લોકસભાની પરિણામો એ વાત પર નિર્ભર રહેશે કે વિપક્ષ કેટલા એકજૂટ થાય છે. પરંતુ જો આજની તારીખે લોકસભાની ચૂંટણી કરવામાં આવે તો કઇ પાર્ટી સરકાર બનાવે? લોકોનો મિજજ શું કહે છે? એનો જવાબ ઇન્ડિયા અને સી- વોટરના મૂડ ઓફ ધ નેશનના સર્વેમાં સામે આવ્યો છે. આ સર્વેમાં ભાજપનું પલ્લું મજબુત દેખાઇ રહ્યું છે.

સર્વેના અંદાજો દર્શાવે છે કે જો આજે ચૂંટણી યોજાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) 298 સીટો જીતી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)ને 153 સીટો મળી શકે છે. જ્યારે 92 બેઠકો અન્ય પક્ષોના ખાતામાં જઈ શકે છે. વોટ ટકાવારીની વાત કરીએ તો NDAને 43,UPAને 30 અને અન્યને 27 ટકા વોટ મળી શકે છે.

ભલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA 2024ની લોકસભા ચૂંટણી જીતવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બેઠકોની ઘટતી સંખ્યા NDA માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. NDA માટે 298 બેઠકોનો આંકડો છ મહિના પહેલાના સમાન સર્વે અંદાજ કરતા 9 ઓછો છે. બીજી તરફ, 2019ની લોકસભા ચૂંટણીમાં NDA દ્વારા સત્તામાં વાપસી દરમિયાન જીતેલી બેઠકોની સરખામણીમાં 50થી વધુ બેઠકો  ઘટી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

પાર્ટીના હિસાબે જોઇએ તો સર્વમાં ભાજપને 285, કોંગ્રેસને 68 અને બાકીની પાર્ટીઓને 191 સીટો મળી શકે તેવો અંદાજ છે. લોકસભામાં સરકાર બનાવવા માટે કોઇ પણ પાર્ટીએ 272 સીટોની બહુમતી મેળવવી પડે, એ રીતે જોઇએ તો ભાજપ પોતાના દમ પર 285 સીટ મેળવી શકે, મતલબ કે બહુમતી કરતા 13 સીટ વધારે મેળવી શકે. એનો મતલબ એ છે કે ભાજપ પોતાના બીજા કાર્યકાલના અંતિમ વર્ષમાં પણ વિપક્ષથી મોટું  અંતર જાળવી રાખવાની સ્થિતિમાં છે.

રાજ્ય વાઇસ વાત કરીએ તો જો મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વડા પ્રધાનપદના ઉમેદવાર બને અને બંગાળની અસ્મિતાને ચૂંટણીનો મુદ્દો બનાવે તો પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકોની સંખ્યા વર્તમાન 42થી  ઘટીને 20 થઇ શકે છે. ઘટી શકે છે. તેલંગાણામાં પણ કંઈક આવું જ જોવા મળી શકે છે, જો કે મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ વડાપ્રધાન પદની રેસમાં ઉતરે તો, આવી સ્થિતિમાં ભાજપ માટે અંદાજિત 6 બેઠકો મેળવવી મુશ્કેલ બનશે.

ઉત્તર પ્રદેશમાં ભાજપને 80માંથી 70 સીટો બેઠકો પર જીત મેળવવી મુશ્કેલ પડી શકે, જો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી રાજ્યના રાજકરાણમાં ફરીથી ઉભરીને આવે અને સીટની સંખ્યા વધારવામાં સફળ રહે.

ભાજપને બીજા બે મોટા રાજ્યોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં 48 સીટ અને બિહારમાં 40 સીટ મેળવવી ભાજપ માટે મુશ્કેલ બની શ કે તેમ છે. જો ઉદ્ધવ ઠાકરેનું જૂથ NCP અને કોંગ્રેસના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડે તો ભાજપને ખાસ્સી બેઠકોનું નુકશાન ઉઠાવવું પડી  શકે છે. બિહારમાં આ વખતે ભાજપને નીતિશ કુમારના JDUનો સાથ નથી મળી રહ્યો. કર્ણાટકમાં ભાજપ 28માંથી 25 સીટ જીતી હતી, પરંતુ આ વખતે બેકફૂટ પર છે.

સી-વોટરનો સર્વે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં 36000 લોકોએ તેમના મત વ્યકત કર્યા હતા. ઉપરાંત  સી-વોટર રેગ્યુલર ટ્રેકર ડેટાથી પણ 5 લાખ લોકોનું સેમ્પલ વિશ્લેષણ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.