'જો તિરંગો ફરકાવ્યો તો RPG વડે ફૂંકી દઈશું'- પંજાબ CM ભગવંત માનને મળી ધમકી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને મારી નાંખવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ ધમકી આપી છે કે, જો પંજાબના CM ભગવંત માન ગણતંત્ર દિવસ પર તિરંગો ફરકાવશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. વાસ્તવમાં પંજાબના CM ભગવંત માન 26 જાન્યુઆરીએ ભટિંડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં તિરંગો ફરકાવવાના છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ CM માનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાન તરફી અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો સ્વયં ઘોષિત નેતા છે. વિદેશમાં બેસીને પન્નુ આતંકવાદી ષડયંત્ર રચવાનું અને પંજાબ અને હરિયાણામાં અશાંતિ પેદા કરવાનું કામ કરે છે. પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી માર્ચ પર ખાલિસ્તાન સમર્થકોના હુમલા અને હિંસક અથડામણમાં પણ પન્નુનો હાથ રહ્યો છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ CM માનને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે. આટલું જ નહીં, ભટિંડામાં CM માન જ્યાં તિરંગો ફરકાવવા જઈ રહ્યા છે, તે મેદાનની દિવાલો પર ખાલિસ્તાનના પક્ષમાં નારા લખવામાં આવ્યા છે. આ સિવાય CISF કેમ્પસ ભટિંડા, NFL ભટિંડા અને રણજીત સિંહ ટેકનિકલ યુનિવર્સિટીની બહાર પણ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે.

પન્નુએ ધમકી આપી છે કે, 'જો CM માન 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવશે તો તેમના પર RPG હુમલો કરવામાં આવશે. જેઓ સૂત્રો લખે છે તેઓ એ પણ જાણે છે કે RPGનો ઉપયોગ કેવી રીતે કરવો. એટલે તમારા માટે સારું એ છે કે, તમે તિરંગો ફરકાવવા ન આવો.'

આતંકવાદી પન્નુએ પોતાના વીડિયોમાં કેન્દ્ર અને પંજાબ સરકારમાં હિંદુઓને વચ્ચે આવવાની ના પડી છે. આતંકવાદીનું કહેવું છે કે, હિંદુઓએ પણ 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં આવવાથી બચવું જોઈએ. આ હુમલો તેમના પર પણ થઈ શકે છે.

ભારતનો વોન્ટેડ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકામાં છુપાયેલો છે. પન્નુને ખાલિસ્તાન તરફી સંગઠન 'શિખ્સ ફોર જસ્ટિસ'ના નેતા હોવાનું કહેવાય છે. સૂત્રોનું માનીએ તો, ગુરપતવંત સિંહ પન્નુ પર પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIનો હાથ છે. તે અમેરિકા સિવાય બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશોમાં ભારત વિરોધી પ્રચાર કરતો રહેતો હોય છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.