કૂનોમાં 8 ચિત્તાઓના મોતથી મામા શિવરાજ અકળાયા, જંગલખાતાના અધિકારીને હટાવી દેવાયા

મધ્ય પ્રદેશના કૂનોમાં સતત થઈ રહેલા ચિત્તાઓના મોત બાબતે હવે સરકારની ઊંઘ ઊડી છે. શિવરાજ સરકારે 8 ચિત્તાઓના મોત બાદ કાર્યવાહી કરી છે. સરકારે પ્રધાન મુખ્ય વન સરક્ષક વન્ય પ્રાણી PCCF જસબીર સિંહને હટાવી દીધા છે. તેમની જગ્યાએ અસીમ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો IFS જે.એસ. ચૌહાણને હવે પ્રધાન મુખ્ય વન સંરક્ષક ઉત્પાદ મુખ્યાલય, ભોપાલ મોકલી આપવામાં આવ્યા છે. 17 ડિસેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર નામીબિયાથી આવેલા 8 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.

ત્યારબાદ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ 12 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા એટલે કે કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન માદા ચિત્તાએ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. કુલ 24 ચિત્તાઓમાંથી 3 બચ્ચાઓ સહિત અત્યાર સુધી 8 ચિત્તાઓના મોત થઈ ચૂક્યા છે. હવે કૂનોમાં એક બચ્ચું અને નામીબિયા, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા કુલ 15 ચિત્તા બચ્યા છે. વિંધ્યાનચલ પર્વતોના ઉત્તરી કિનારા પર સ્થિત કૂનો નેશનલ પાર્ક 750 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું નામ અહીંની કૂનો નદી પર રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 હજાર કિલોમીટર દૂર તેમના મૂળ સ્થાન નામીબિયાથી લાવવામાં આવેલા આ ચિત્તાઓને શનિવારે કૂનો નેશનલ પાર્કના ક્વોરેન્ટાઇનના વાડાઓમાં છોડ્યા હતા. ભારતમાં વર્ષ 1952માં વિલુપ્ત થઈ ચૂકેલા આ પ્રાણીઓને પુનઃ વસાવવા માટે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કૂનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી 5 ચિત્તા અને 3 બચ્ચાઓના મોત થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે મંગળવાર અને શુક્રવારે જ 2 નર ચિત્તા (તેજસ અને સૂરજ)ના મોત થઈ ગયા હતા.

ત્યારબાદ ચિત્તાઓના ગળામાં બાંધેલા રેડિયો કોલરને લઈને સવાલ ઉઠવા લાગ્યા કેમ કે દક્ષિણ આફ્રિકાના એક ચિત્તા એક્સપર્ટે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા દાવો કર્યો હતો કે રેડિયો કોલરના કારણે ચિત્તા સેપ્ટીસીમિયાના શિકાર થઈ રહ્યા છે. તેને લઈને સરકારનું પણ નિવેદન આવ્યું છે જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, રેડિયો કોલરથી ચિત્તાઓના મોતના દવા કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ આધારિત નથી. આ વાતો અટકળો અને અફવાઓ પર આધારિત છે. અધિકારીઓ મુજબ, ચિત્તાઓની સુરક્ષા અને અન્ય મુદ્દાઓ માટે તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થળાંતરીત ચિત્તાઓના ગળાની ચારેય તરફ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.