યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25 થી 27 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક મોટો વેપાર કરાર થવાની અપેક્ષા છે. આ સંભવિત કરાર પહેલા, યુરોપિયન યુનિયનના ઉપપ્રમુખ, વિદેશ નીતિના વડા અને એસ્ટોનિયાના ભૂતપૂર્વ PM કાજા કલ્લાસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરાર એક ખૂબ જ વ્યૂહાત્મક પગલું હશે અને તે ચીન અને રશિયા પર નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, EU રશિયા કરતાં ભારત માટે વધુ વિશ્વસનીય ભાગીદાર બનશે.

EU Top Leader
financialexpress.com

મીડિયા સૂત્ર સાથે વાત કરતા, કાજા કલ્લાસે જણાવ્યું હતું કે, ભારત અને EU 27 જાન્યુઆરીએ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી કરાર પર પણ હસ્તાક્ષર કરશે. કાજા કલ્લાસ પણ તે સમિટનો ભાગ હશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન 24 જાન્યુઆરીએ ભારત આવશે. આ દરમિયાન, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા 25 જાન્યુઆરીએ આવશે. બંને નેતાઓ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે અને 27 જાન્યુઆરીએ શિખર સંમેલનમાં ભાગ લેશે.

મીડિયા સૂત્રોએ કાજા કલ્લાસને પૂછ્યું કે, તેઓ 2026માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે EU નેતાઓને પ્રથમ વખત આમંત્રણ મળ્યું છે તો, ભારત-EU દ્વિપક્ષીય સંબંધોની સફરને કેવી રીતે જુએ છે. EUના ઉપપ્રમુખે તેનો જવાબ આપતા કહ્યું કે, 'અમે વાતચીત અને સહયોગથી શરૂઆત કરી હતી, અને આજે અમે વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી પર સાથે મળીને કામ કરીએ છીએ. EU નેતૃત્વને પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આમંત્રણ એક મોટું સન્માન છે અને સાચો વિશ્વાસ દર્શાવે છે. ભારત હવે માત્ર એક મહત્વપૂર્ણ ભાગીદાર નથી, તે એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. આ એક સકારાત્મક પરિવર્તન છે.'

EU Top Leader
aninews.in

આ ઉપરાંત, મુક્ત વેપાર કરાર (FTA) વિશે બોલતા, તેમણે કહ્યું કે, FTA 2 અબજ લોકો માટે બજાર બનશે, જે વૈશ્વિક GDPના લગભગ એક ક્વાર્ટરનું પ્રતિનિધિત્વ કરશે. આ સોદો રોકાણ અને વૃદ્ધિને વેગ આપશે, પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવશે અને બંને બાજુની કંપનીઓ માટે નવી નવી તકો ખોલશે. તે ચીન, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ પર નિર્ભરતા ઘટાડવાની તક પણ પૂરી પાડે છે. એવા સમયે જ્યારે મુક્ત વેપાર કરવા પર દબાણ છે અને પુરવઠા શૃંખલાઓને મુખ્ય હથિયાર બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમારી આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવી એકદમ યોગ્ય છે. આ કરાર એક વ્યૂહાત્મક નિર્ણય છે.

EU Top Leader
msn.com

EUના ઉપપ્રમુખ કહે છે કે, વિશ્વ પહેલા કરતાં વધુ ખતરનાક બની રહ્યું છે, તેથી EU-ભારત સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવો એ એક સ્વાભાવિક પગલું છે. EU અને ભારત બંને સંરક્ષણ ખર્ચ વધારી રહ્યા છે, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ તેની માંગ કરે છે. 27 જાન્યુઆરીએ, EU અને ભારત એક નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરશે. આ દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી અને સાયબર-સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં અમારો સહયોગ વધારશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે સંરક્ષણ ઉદ્યોગમાં પણ સહયોગ વધારવા માંગીએ છીએ. ભારત એક સાર્વભૌમ દેશ છે અને ખરીદી અંગે પોતાના નિર્ણયો લેશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, યુરોપ એક વિશ્વસનીય ભાગીદાર છે, રશિયા નહીં.

About The Author

Related Posts

Top News

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.