ભારત સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યું છે 

ભારત સરકારની 'આત્મનિર્ભર ભારત' યોજના હેઠળ સંરક્ષણ ક્ષેત્ર મોટું પગલું ભરી રહ્યું છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં શરૂ કરી હતી. તેનો મુખ્ય હેતુ છે કે ભારત વિદેશી હથિયારો અને સાધનો પર આધાર રાખવાનું બંધ કરે અને પોતાના દેશમાં જ બધું બનાવે. સંરક્ષણ ક્ષેત્ર આમાં આગળ છે કારણ કે તે દેશની સુરક્ષા સાથે જોડાયેલું છે અને અર્થતંત્રને મજબૂત બનાવે છે.

સૌથી પહેલા સરકારે વિદેશી હથિયારોની આયાત ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે. 2020થી અત્યાર સુધીમાં 500થી વધુ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. આનાથી દેશી કંપનીઓને હથિયારો બનાવવાની તક મળી છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) હવે તેજસ ફાઇટર જેટ બનાવે છે. આ જેટ પહેલા વિદેશમાંથી લાવવામાં આવતા હતા પણ હવે ભારતમાં જ તૈયાર થાય છે. આનાથી ભારતીય વાયુસેના મજબૂત થઈ છે અને પૈસા પણ દેશમાં જ રહે છે.

બીજું મહત્વનું પગલું છે ખાનગી ક્પનીઓને સંરક્ષણમાં ભાગ લેવા દેવું. પહેલા માત્ર સરકારી કંપનીઓ જ હથિયારો બનાવતી હતી પણ હવે ટાટા, રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં આવી છે. તેઓ ડ્રોન, મિસાઇલ અને જહાજો બનાવે છે. આનાથી નોકરીઓ વધી છે અને ટેક્નોલોજીમાં નવીનતા આવી છે. ઉદાહરણ તરીકે બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાની સાથે મળીને બનાવાઈ છે પણ તેનું મોટાભાગનું કામ ભારતમાં થાય છે. હવે ભારત આ મિસાઇલ વિદેશમાં વેચે છે જેમ કે ફિલિપાઇન્સને.

સરકારે 'મેક ઇન ઇન્ડિયા' અને 'ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ' (iDEX) જેવી યોજનાઓ શરૂ કરી છે. આમાં સ્ટાર્ટઅપ કંપનીઓને પૈસા અને સહાય આપવામાં આવે છે. પરિણામે નવી અને નાની કંપનીઓ પણ ડ્રોન અને સાયબર સુરક્ષા સાધનો બનાવી રહી છે. 2024/25માં સંરક્ષણ નિકાસ 21,000 કરોડ રૂપિયા સુધી પહોંચી છે જે પહેલા માત્ર 1,000 કરોડ હતી. આનાથી ભારત વિશ્વના મોટા હથિયાર નિકાસકારોમાં સામેલ થઈ રહ્યું છે.

આ બધું કરવાથી ફાયદા ઘણા છે. એકતો દેશની સુરક્ષા મજબૂત થાય છે કારણ કે વિદેશી આધાર ઘટે છે. બીજું કે અર્થતંત્ર વધે છે અને લાખો નોકરીઓ ઊભી થાય છે. ત્રીજું એ કે ટેક્નોલોજીમાં ભારત આગળ વધે છે. પણ કેટલીક સમસ્યાઓ પણ છે જેમ કે ગુણવત્તા જાળવવી અને સમયસર પૂરું કરવું. સરકાર આ માટે વધુ રોકાણ કરી રહી છે.

આમ સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભર ભારતનું મુખ્ય આધાર છે. તે દેશને મજબૂત, સ્વાવલંબી અને વિશ્વમાં આદરણીય બનાવી રહ્યું છે. આગામી વર્ષોમાં દેશ આ ક્ષેત્ર વધુ આગળ વધશે અને ભારતને સુપરપાવર બનાવવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.