જમ્મુ-કાશ્મીર: ગુમ થયેલા આર્મી જવાનની માતાનો કલ્પાંત, મારા દીકરાને પાછો આપો

જમ્મુ-કશ્મીરમાં સેનાનો એક જવાન ગુમ થઇ ગયો છે. કુલગામમાં રહેતો આ આર્મી જવાન ઇદની રજા મનાવવા ઘરે આવ્યો હતો. 29 જુલાઇએ તે નજીકના શહેરમાં પોતાની કારમાં સામાન લેવા માટે ગયો હતો. જવાનની કાર મળી ગઇ છે, પરંતુ જવાન લાપત્તા છે. કારમાંથી લોહીના નિશાન અને જવાનના ચંપલ મળ્યા છે. એવામાં તેના અપહરણની શંકા સેવવામાં આવી રહી છે. ભારતીય સેના અને પોલીસ સાથે મળીને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ, ગુમ થયેલા આ જવાનનું નામ જાવિદ અહમદ વાણી છે અને તે 25 વર્ષનો જુવાન છે. જાવિદનું અત્યારે લેહમાં પોસ્ટિંગ હતું. જાવિદનું ઘર કુલગામાના અસથલ ગામમાં છે. રવિવારે, 30 જુલાઇએ તેની રજા પુરી થવાની હતી અને તે પાછો પોતાની ડ્યુટી પર જવાનો હતો.

રિપોર્ટસ મુજબ જાવિદ વાણી 29 જુલાઇની રાત્રે 8 વાગ્યે પોતાના ઘરેથી કારમાં ચાવલગામ જવા માટે નિકળ્યો હતો. તે પોતાની અલ્ટો કાર લઇને ગયો હતો. ત્યારથી જાવિદ ગુમ છે. પરિવાર અને અડોશ પડોશના લોકો તેની શોધખોળ કરી રહ્યા છે.

સર્ચ દરમિયાન જાવેદની કાર કુલગામ નજીક પ્રાણહાલ પાસેથી મળી આવી હતી. કાર ખુલ્લી હાલતમાં મળી આવી હતી.કારમાંથી જવાનના ચંપલ અને લોહીના ડાઘ મળી આવ્યા છે. જાવેદને શોધવા માટે સેના અને પોલીસ સંયુક્ત રીતે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જાવેદના પરિવારનો દાવો છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. જો કે પોલીસ કે સેનાએ હજુ સુધી આ દાવાને સમર્થન આપ્યું નથી.

જાવિદ વાણીના માતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં માતા અપીલ કરી રહી છે. માતાએ કહ્યું કે હું બધાને કહેવા માંગું છું કે મારા દીકરાને પાછો આપો. તે નિદોર્ષ અને નાનો છે. જો તેનાથી કોઇ ભુલ થઇ હોય તો, હું માફી માંગું છું.

મીડિયા સાથે વાત કરતા જાવિદના એક સંબંધીએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે, જાવિદને કોઇ ઉઠાવી ગયું છે. તેમણે કહ્યું કે, હું એ નવયુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છે કે અલ્લાહને ખાતર પણ જાવિદને છોડી દો. તેના માતા-પિતા પરેશાન છે, તેમની પર દયા કરો. તે ઇદ પર આવ્યો હતો, પાછો ફરજ પર જવાનો હતો.

જો કે જમ્મુ-કશ્મીરમાં જવાનોના અપહરણ થવાની આ પહેલી ઘટના નથી, આ પહેલાં પણ અનેક બનાવો બન્યા છે. વર્ષ 2017માં રજામાં ઘરે આવેલા એક યુવાન સેના અધિકારીનું શોંપિયાથી આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું અને એ પછી તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

વર્ષ 2022માં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ભારતીય સેનાના જવાન સમીર અહમદ મલ્લનું અપહરણ કર્યું હતું અને તે પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

About The Author

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.