જ્યોતિરાદિત્ય સિંધિયા એવું શા માટે બોલ્યા કે, BJPમાં ન મારું છે, ન તારું છે...?

મધ્ય પ્રદેશમાં ભાજપાની પહેલી લિસ્ટ આવી ગઇ છે. આ લિસ્ટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના એક સમર્થકને ટિકિટ આપવામાં આવી નથી. જેને લઇ ભાજપા સાંસદે મૌન તોડ્યુ છે. ગ્વાલિયરમાં તેમણે કહ્યું કે, ભાજપા ચૂંટણી ઉમેદવારોની પસંદગી સમયે જીતવાની ક્ષમતાના કારક પર વિચાર કરે છે. જ્યારે કોંગ્રેસમાં જુથવાદ થાય છે. મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાજપાએ 17 ઓગસ્ટના રોજ રાજ્યની 39 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

સિંધિયાએ કહ્યું કે, ભાજપામાં ટિકિટ આપતા સમયે ન મારું કે ન તારું જેવું નથી. દરેક ભાજપાનો ભાગ છે. અહીં કોંગ્રેસની જેમ કોઈ જુથવાદ નથી. જે વ્યક્તિની જીતવાની સારી સંભાવના છે, તેને ટિકિટ મળે છે. જ્યાતિરાદિત્ય સિંધિયાએ આ વાત તેમના સમર્થકોમાંના એકની ટિકિટ કપાઇ જવા પર કહી છે. 2020માં સિંધિયાની સાથે ભાજપામાં સામેલ થનારા તેમના સમર્થકોમાંથી 5 લોકો ગયા મહિને કોંગ્રેસમાં પાછા ફર્યા છે. તો વળી ભાજપા કાર્યસમિતિના સભ્ય રહેલા સમંદર પટેલ પણ બે દિવસ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. ઉમેદવારોની લિસ્ટમાં સિંધિયા ગુટના રણવીર જાટવને જગ્યા મળી નથી.

રણવીર જાટવને ટિકિટ ન મળવા પર નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે સિંધિયા પર હુમલો કરતા કહ્યું કે, સવાલ એ છે કે સિંધિયાજી જેમને સાથ લઇને ગયા હતા, તેમની રક્ષા કરવી પણ તેમનું કામ હતું, પણ તે એમની રક્ષા કરી શક્યા નહીં. હવે સિંધિયા પર કોણ વિશ્વાસ કરશે. જાટવને સિંધિયા સમર્થક નેતા માનવામાં આવે છે.

જાટવે પાછલી ચૂંટણીમાં ભિંડ જિલ્લાના ગોહદથી ભાજપાના SC જાતિના પ્રમુખ લાલસિંહ આર્યને 23 હજારથી વધુ વોટે હરાવ્યા હતા. તેમણે માર્ચ 2020માં સિંધિયા ગ્રુપના અન્ય કોંગ્રેસ ધારાસભ્યોની સાથે રાજીનામુ આપ્યું. નવેમ્બરમાં ભાજપાના ઉમેદવારના રૂપમાં પેટા-ચૂંટણી લડી, પણ કોંગ્રેસના મેવારામ જાટવ સામે હારી ગયા.

કોંગ્રેસે દાવો કર્યો કે, ભાજપા સરકાર હેઠળ મધ્ય પ્રદેશમાં 50 ટકા કમીશન રાજ વ્યાપ્ત છે. તો સિંધિયાએ વળતો જવાબ આપ્યો કે, વિપક્ષની પાર્ટીએ આત્મનીરિક્ષણ કરવાની જરૂર છે. ભાજપા સાંસદે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 15 મહિનાના શાસનમાં(ડિસેમ્બર 2018થી માર્ચ 2020 સુધી) ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ સાથે વિશ્વાસઘાત થયો. એનાથી વિપરીત ભાજપા સરકાર સુશાસન અને લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.