વોટ ચોરીના આરોપમાં શું રાહુલ ગાંધીને આર્ટિકલ 337માં ઘેરાયા તો થશે 7 વર્ષની જેલ!

કર્ણાટકમાં 2 વખત મતદાનનો દાવો હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કાયદાકીય પેંચ બની ગયો છે. રાહુલ ગાંધીએ પોતાની રજૂઆતમાં એક દસ્તાવેજ બતાવતા દાવો કર્યો હતો કે આ ચૂંટણી પંચનો રેકોર્ડ છે. શગૂન રાની નામની એક મહિલા પાસે 2 વૉટર ID છે. તેના પર મતદાન મથક અધિકારીનું નિશાન છે, જે સાબિત કરે છે કે શગુન રાનીએ પણ 2 વખત મતદાન કર્યું હતું. હવે આ દાવો રાહુલ ગાંધીના ગળાનો ફાંદ બની ગયો છે. કારણ કે ચૂંટણી પંચ કહી રહ્યું છે કે આખી કહાની તેનાથી વિપરીત છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનરે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરી છે અને તમે જે દાવો કર્યો છે તેના પુરાવા આપો કારણ કે અમે કરેલી તપાસ મુજબ, શગૂન રાની નામની મહિલાએ 2 વખત મતદાન કર્યું નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, જો રાહુલ ગાંધીનો દાવો ખોટો સાબિત થાય તો શું થશે?

rahul gandhi
https://x.com/INCRajasthan/

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની સામે આર્ટિકલ 337 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આખરે, આ આર્ટિકલ 337 શું છે? ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 337 ગંભીર ગુના માટે લાગૂ પડે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સરકારી દસ્તાવેજ કે કોર્ટ રેકોર્ડ બનાવટી બનાવે છે, ત્યારે તેના પર આ કલમ લગાવી શકાય છે. જેમ કે, જો કોઈ વ્યક્તિ વોટર ID, આધાર કાર્ડ, જન્મ-મૃત્યુ કે લગ્ન રજિસ્ટર, સરકારી પ્રમાણપત્ર, કોર્ટની કાર્યવાહીનો રેકોર્ડ, પાવર ઓફ એટર્ની જેવા દસ્તાવેજો સાથે ખેલવાડ કરે છે, તો તે આ રમતમાં ફસાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ જે રીતે ચૂંટણી પંચના દસ્તાવેજને ખોટી રીતે રજૂ કર્યા છે, તેમાં છેડછાડ કરવામાં આવી, તે આ શ્રેણીમાં આવશે. જો આવું થાય, તો કડક કાર્યવાહી થઈ શકે છે.

કાયદો કહે છે કે, જો કોઈ વ્યક્તિ આવા કોઈપણ દસ્તાવેજને નકલી સાબિત કરવા માટે દોષી ઠરે છે, પછી ભલે તે દસ્તાવેજી કાગળનો હોય કે ઇલેક્ટ્રોનિક, તો તેને 7 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. એટલું જ નહીં, તેના પર અમર્યાદિત દંડ પણ ફટકારી શકાય છે. કાયદાકીય વિશેષજ્ઞોના મતે, આ ગુનો બિન-જામીનપાત્ર પણ હોઈ શકે છે, એટલે કે, જો દોષિત ઠરે છે, તો ધરપકડ બાદ કોર્ટમાંથી જામીન લેવા પડશે.

કાયદો એમ પણ કહે છે કે જો આરોપો સાબિત થાય છે, તો દોષિત વ્યક્તિના રાજકારણ પર પણ અસર પડી શકે છે, કારણ કે 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિ 2 વર્ષ કે તેથી વધુ સજા થાય છે તો તે સંસદ અથવા વિધાનસભાનું સભ્યપદ ગુમાવી શકે છે. રાહુલ ગાંધીના મામલે, જો તપાસ અને કોર્ટમાં એ સાબિત થાય કે તેણે મતદાર યાદી સંબંધિત કોઈપણ નકલી દસ્તાવેજ બનાવ્યા છે અથવા તેનો ઉપયોગ કર્યો છે, તો તેમની સામે કલમ 337 હેઠળ કેસ દાખલ કરી શકાય છે અને જો તેઓ દોષી સાબિત થાય છે, તો તેમને 7 વર્ષ સુધીની જેલ, દંડ અને સાંસદ પદ ગુમાવવાનું જોખમ પણ હોઈ શકે છે.

ચૂંટણી પંચે કોર્ટમાં નિર્ણય લેવો પડશે કે દસ્તાવેજ જાણી જોઈને નકલી બનાવવામાં આવ્યો હતો કે ભૂલથી સામેલ થયા. પુરાવાની જવાબદારી ફરિયાદી પક્ષ એટલે કે ચૂંટણી પંચની રહેશે. જો દોષી સાબિત થાય છે, તો કોર્ટ સજા અને દંડની રકમ નક્કી કરશે.

કૉંગ્રેસે કર્ણાટક ચૂંટણી પંચના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે- રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે તેમનો મોટો ખુલાસો પંચના પોતાના ડેટા એટલે કે મતદાર યાદી પર આધારિત છે. હવે, જ્યારે તેઓ રંગે હાથે પકડાયા છે, તો તમે તેમની પાસેથી દસ્તાવેજો માગી રહ્યા છો? આ એ જ ડેટા છે જે તમારી પાસે છે. રાહુલનો આરોપ છે કે પંચ ડિજિટલ, મશીન-રીડેબલ મતદાર યાદી આપવાનો ઇનકાર કરે છે, CCTV ફૂટેજની ઍક્સેસ અવરોધે છે અને પુરાવા મટાડે છે. તેમનું કહેવું છે કે પુરાવા સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ છે, છતા કમિશન વ્હિસલબ્લોઅર પર સવાલ ઉઠાવી રહ્યું છે. આ માત્ર વિડંબના નહીં, પરંતુ દોષ સ્વીકારવા જેવું છે.

09

કોંગ્રેસે 5 સીધા સવાલ પૂછ્યા છે?

ડિજિટલ મતદાર યાદી વિપક્ષને કેમ આપવામાં આવતી નથી?

CCTV અને વીડિયો પુરાવા મટાડવાનો આદેશ કોણે આપ્યો?

નકલી મતદાન અને મતદાર યાદીમાં ગરબડી કેમ થઈ?

વિપક્ષી નેતાઓને ધમકાવવાનું કારણ શું છે?

શું ચૂંટણી પંચ હવે ભાજપનું ચૂંટણી એજન્ટ બની ગયું છે?

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.