વોટ ચોરીના આરોપમાં શું રાહુલ ગાંધીને આર્ટિકલ 337માં ઘેરાયા તો થશે 7 વર્ષની જેલ!

કર્ણાટકમાં 2 વખત મતદાનનો દાવો હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કાયદાકીય પેંચ બની ગયો છે. રાહુલ ગાંધીએ પોતાની રજૂઆતમાં એક દસ્તાવેજ બતાવતા દાવો કર્યો હતો કે આ ચૂંટણી પંચનો રેકોર્ડ છે. શગૂન રાની નામની એક મહિલા પાસે 2 વૉટર ID છે. તેના પર મતદાન મથક અધિકારીનું નિશાન છે, જે સાબિત કરે છે કે શગુન રાનીએ પણ 2 વખત મતદાન કર્યું હતું. હવે આ દાવો રાહુલ ગાંધીના ગળાનો ફાંદ બની ગયો છે. કારણ કે ચૂંટણી પંચ કહી રહ્યું છે કે આખી કહાની તેનાથી વિપરીત છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનરે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરી છે અને તમે જે દાવો કર્યો છે તેના પુરાવા આપો કારણ કે અમે કરેલી તપાસ મુજબ, શગૂન રાની નામની મહિલાએ 2 વખત મતદાન કર્યું નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, જો રાહુલ ગાંધીનો દાવો ખોટો સાબિત થાય તો શું થશે?

rahul gandhi
https://x.com/INCRajasthan/

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની સામે આર્ટિકલ 337 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આખરે, આ આર્ટિકલ 337 શું છે? ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 337 ગંભીર ગુના માટે લાગૂ પડે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સરકારી દસ્તાવેજ કે કોર્ટ રેકોર્ડ બનાવટી બનાવે છે, ત્યારે તેના પર આ કલમ લગાવી શકાય છે. જેમ કે, જો કોઈ વ્યક્તિ વોટર ID, આધાર કાર્ડ, જન્મ-મૃત્યુ કે લગ્ન રજિસ્ટર, સરકારી પ્રમાણપત્ર, કોર્ટની કાર્યવાહીનો રેકોર્ડ, પાવર ઓફ એટર્ની જેવા દસ્તાવેજો સાથે ખેલવાડ કરે છે, તો તે આ રમતમાં ફસાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ જે રીતે ચૂંટણી પંચના દસ્તાવેજને ખોટી રીતે રજૂ કર્યા છે, તેમાં છેડછાડ કરવામાં આવી, તે આ શ્રેણીમાં આવશે. જો આવું થાય, તો કડક કાર્યવાહી થઈ શકે છે.

કાયદો કહે છે કે, જો કોઈ વ્યક્તિ આવા કોઈપણ દસ્તાવેજને નકલી સાબિત કરવા માટે દોષી ઠરે છે, પછી ભલે તે દસ્તાવેજી કાગળનો હોય કે ઇલેક્ટ્રોનિક, તો તેને 7 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. એટલું જ નહીં, તેના પર અમર્યાદિત દંડ પણ ફટકારી શકાય છે. કાયદાકીય વિશેષજ્ઞોના મતે, આ ગુનો બિન-જામીનપાત્ર પણ હોઈ શકે છે, એટલે કે, જો દોષિત ઠરે છે, તો ધરપકડ બાદ કોર્ટમાંથી જામીન લેવા પડશે.

કાયદો એમ પણ કહે છે કે જો આરોપો સાબિત થાય છે, તો દોષિત વ્યક્તિના રાજકારણ પર પણ અસર પડી શકે છે, કારણ કે 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિ 2 વર્ષ કે તેથી વધુ સજા થાય છે તો તે સંસદ અથવા વિધાનસભાનું સભ્યપદ ગુમાવી શકે છે. રાહુલ ગાંધીના મામલે, જો તપાસ અને કોર્ટમાં એ સાબિત થાય કે તેણે મતદાર યાદી સંબંધિત કોઈપણ નકલી દસ્તાવેજ બનાવ્યા છે અથવા તેનો ઉપયોગ કર્યો છે, તો તેમની સામે કલમ 337 હેઠળ કેસ દાખલ કરી શકાય છે અને જો તેઓ દોષી સાબિત થાય છે, તો તેમને 7 વર્ષ સુધીની જેલ, દંડ અને સાંસદ પદ ગુમાવવાનું જોખમ પણ હોઈ શકે છે.

ચૂંટણી પંચે કોર્ટમાં નિર્ણય લેવો પડશે કે દસ્તાવેજ જાણી જોઈને નકલી બનાવવામાં આવ્યો હતો કે ભૂલથી સામેલ થયા. પુરાવાની જવાબદારી ફરિયાદી પક્ષ એટલે કે ચૂંટણી પંચની રહેશે. જો દોષી સાબિત થાય છે, તો કોર્ટ સજા અને દંડની રકમ નક્કી કરશે.

કૉંગ્રેસે કર્ણાટક ચૂંટણી પંચના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે- રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે તેમનો મોટો ખુલાસો પંચના પોતાના ડેટા એટલે કે મતદાર યાદી પર આધારિત છે. હવે, જ્યારે તેઓ રંગે હાથે પકડાયા છે, તો તમે તેમની પાસેથી દસ્તાવેજો માગી રહ્યા છો? આ એ જ ડેટા છે જે તમારી પાસે છે. રાહુલનો આરોપ છે કે પંચ ડિજિટલ, મશીન-રીડેબલ મતદાર યાદી આપવાનો ઇનકાર કરે છે, CCTV ફૂટેજની ઍક્સેસ અવરોધે છે અને પુરાવા મટાડે છે. તેમનું કહેવું છે કે પુરાવા સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ છે, છતા કમિશન વ્હિસલબ્લોઅર પર સવાલ ઉઠાવી રહ્યું છે. આ માત્ર વિડંબના નહીં, પરંતુ દોષ સ્વીકારવા જેવું છે.

09

કોંગ્રેસે 5 સીધા સવાલ પૂછ્યા છે?

ડિજિટલ મતદાર યાદી વિપક્ષને કેમ આપવામાં આવતી નથી?

CCTV અને વીડિયો પુરાવા મટાડવાનો આદેશ કોણે આપ્યો?

નકલી મતદાન અને મતદાર યાદીમાં ગરબડી કેમ થઈ?

વિપક્ષી નેતાઓને ધમકાવવાનું કારણ શું છે?

શું ચૂંટણી પંચ હવે ભાજપનું ચૂંટણી એજન્ટ બની ગયું છે?

About The Author

Related Posts

Top News

ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી (JSP) બેઠકોની દૃષ્ટિએ ખાતું પણ ખોલાવી શકી નહોતી...
Politics 
ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-05-2026 વાર - સોમવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા...
Sports 
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.