26 જાન્યુઆરીની પરેડમાં ભાજપ શાસિત આ રાજ્યની ઝાંખી સામેલ ન થવા પર વિવાદ

નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે કર્ણાટકની ઝાંખી નહીં જોવા મળશે. જો કે, છેલ્લા સતત 13 વર્ષથી રાજ્યની ઝાંખી પરેડમાં સામેલ થઈ રહી છે. આ વખતે આમ નહીં થવા પર રાજ્ય સરકારે સ્પષ્ટતા જાહેર કરી છે. જો કે, તે હવે એક રાજકીય મુદ્દો બની ગયો છે, કોંગ્રેસે આ અંગે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.

 

કર્ણાટક સરકારે રવિવારના રોજ કહ્યું હતું કે, રાજ્યની ઝાંખીને આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક નથી મળી અને આવું કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાને કારણે થયું છે.

આથી કર્ણાટકને નહીં મળી તક

પ્રજાસત્તાક દિવસની ઝાંખીના નોડલ અધિકારી C.R.નવીને એક નિવેદનમાં કહ્યું, 'આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્યોની ઝાંખીઓની સહભાગિતાના સંદર્ભમાં, ભારત સરકારે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં તે રાજ્યોને તકો પૂરી પાડવાની વાત છે જેમણે છેલ્લા 8 વર્ષ દરમ્યાન આમાં ભાગ નથી લીધો અથવા સૌથી ઓછી વાર ભાગ લીધો છે. આ માટે, કર્ણાટક રાજ્યને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક નથી મળી.

નવીને કહ્યું, 'આ સિવાય, જો ગયા વર્ષે ભાગ લેનારા રાજ્યોની યાદી અને આ વર્ષે પસંદ કરાયેલા રાજ્યોની સરખામણી કરવામાં આવે છે, તો તે સ્પષ્ટ છે કે 2022મા એવોર્ડ જીતનાર તમામ ત્રણેય રાજ્યોની પસંદગી આ વર્ષે નથી કરવામાં આવી. આ સાથે જ, ત્રણ રાજ્યોને બાદ કરતાં, ગયા વર્ષે ભાગ લેનારા બાકીના રાજ્યોની પસંદગી નથી કરવામાં આવી.

કર્ણાટકે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ઝાંખીના માધ્યમથી પોતાના મોટા અનાજની વિવિધતા પ્રદર્શિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્યની ઝાંખીને ગયા વર્ષે બીજા ક્રમનું શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યું હતું.

સિદ્ધારમૈયાએ સાધ્યું નિશાન

વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ રાજ્યનું ગૌરવ જાળવવાની ગંભીરતા પર સવાલ ઉઠાવતા આ મામલે રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્ણાટક ભાગ નહીં લેશે, રાજ્યની ઝાંખીનો અસ્વીકાર કરવો એ દર્શાવે છે કે, અહીંની ભાજપ સરકાર આપણા રાજ્યના ગૌરવને સાચવી રાખવા માટે કેટલી ગંભીર છે.'

કોંગ્રેસ નેતાએ ઘણા ટ્વીટ્ કરીને આરોપ લગાવ્યો કે, 'અક્ષમ અને નબળા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને તેમના કેબિનેટ મંત્રી 40 ટકા કમિશનના માધ્યમથી સરકારી સંસાધનોને લૂંટવા અંગે ચિંતિત છે. જો તેઓએ વિષયને તૈયાર કરવા માટે થોડો વધુ વિચાર કર્યો હોત, તો કર્ણાટક પ્રજાસત્તાક દિવસે પોતાની ઝાંખી રજૂ કરી શક્યું હોત.'

સિદ્ધારમૈયાએ કહ્યું, 'રાજ્યની ભાજપ સરકારે તેના હાઈકમાન્ડના હિતોને ગોઠવવા માટે અમારા ગૌરવને છોડી દીધું છે. શું ભાજપના કોઈ પણ સાંસદે અમારી ઝાંખીના અસ્વીકાર કરવા પર વાંધો ઉઠાવ્યો છે?'

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.