દિલ્હીમાં ખાલિસ્તાની સ્લીપર સેલની મોટા આતંકી હુમલાની પ્લાનિંગ, ફંડ પણ મળ્યું

દિલ્હી-NCRમાં ખતરનાક ખાલિસ્તાની આતંકી સંગઠનનો સ્લીપર સેલ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. એક ન્યૂઝ એજન્સીએ ઇન્ટેલિજેન્સ એજન્સી સાથે જોડાયેલા અધિકારીઓના સંદર્ભે આ વાત કહી છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં હાલમાં જ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં ખાલિસ્તાનના સમર્થનમાં લખેલા પોસ્ટર મળ્યા બાદ આ જાણકારી સામે આવી રહી છે. પોલીસે 12 જાન્યુઆરીના રોજ બે લોકોને ખાલિસ્તાની પોસ્ટર લગાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ત્યારબાદ દિલ્હી પોલીસ એલર્ટ થઇ ગઇ છે.

ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાની સ્લીપર સેલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોઇ મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. દિલ્હીના વિકાસપુરી, પશ્ચિમ વિહાર, પ્રગતિ મેદાન સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં ખાલિસ્તાન સાથે જોડાયેલા પોસ્ટર અને ભીત ચિત્ર મળ્યા છે, ત્યારબાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓની કોઇ ષડયંત્રનો હિસ્સો હોય શકે છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને ફેલાવવા માટે તેમને ફંડ મળ્યું હતું.

પોલીસે કહ્યું કે, આ અંગે આગળની તપાસ ચાલી રહી છે. ખાલિસ્તાનમાં પોસ્ટર મળ્યા બાદ સ્થાનિક પોલીસે આ પોસ્ટરોને દીવાલો પરથી તરત જ હટાવી દીધા અને તેનું રંગકામ કરી દીધું છે. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153-B અને ગુનાહિત કાવતરું રચવાની કલમ 120(B) હેઠળ કેસ નોંધ્યો છે. જે વિસ્તારમાં શંકાસ્પદ પોસ્ટર મળ્યા છે, એ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધી છે. દિલ્હીની શાંતિ વ્યવસ્થા બગાડવાના આ કાવતરાને લઇને ઇન્ટેલિજેન્સ એજન્સીએ જે ઇનપુટ આપ્યા છે તેને લઇને પોલીસ ખૂબ સાવધાની રાખી રહી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિદેશમાં બેઠા ગુરપંત સિંહ પન્નુના ઇશારા પર દિલ્હીમાં ખાલિસ્તાનની એન્ટ્રી થઇ હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કસ્ટડીમાં લેવામાં આવેલા બે શંકાસ્પદોએ સિખ ફોર જસ્ટિસ રેફરેન્ડમ વર્ષ 2020 અને પ્રો. ખાલિસ્તાનના સ્લોગન દીવાલો પર ચોંટાડી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને શંકાસ્પદ દિલ્હીના રહેવાસી છે અને સિખ સમુદાય સાથે સનબંધ ધરાવે છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા, આ કૃત્ય પણ ખાલિસ્તાની સંગઠને કર્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.