મોરારી બાપુએ આદિપુરુષ પર આપ્યું મોટું નિવેદન, બોલ્યા- વ્યાસપીઠ પરથી...

રામાયણ પર બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ તેના ડાયલોગ સહિતની કેટલીક બાબતોના કારણે ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે, રામાયણના કથાકાર મોરારીબાપુએ પણ આ ફિલ્મને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વ્યાસપીઠ પરથી વિનયતા સાથે કહેવા માગું છું કે તમારે રામાયણ પર કોઈ નાટક બનાવવું હોય, કોઈ ફિલ્મ બનાવવી હોય, કોઈ કથા લખવી છે, તમારું ઈન્ટરપ્રિટેશન નાખવું હોય, તો વાલ્મિકીનો આધાર લો, તુલસીદાસજીનો આધાર લો. રામાયણ સીરિયલ બની તે સમયે કરવામાં આવેલા રિસર્ચની વાત પણ તેમણે વ્યાસપીઠ પરથી કરી હતી.

મોરારીબાપુએ રામાયણ પર બનેલી ફિલ્મના વિવાદ મામલે વાત કરતા કહ્યું કે, બને તો મોરારીબાપુને પૂછો, તમને એ અહંકાર પણ લાગી શકે છે, પરંતુ મેં તેના પર કામ કર્યું છે. હું 65 વર્ષથી તેના પર કામ કરી રહ્યો છું. હું દિવંગત રામાનંદ સાગરને આદર આપું છું, તમે જ્યારે રામાયણ સીરિયલ બનાવી, ત્યારે બે વ્યક્તિઓનો મત લીધો હતો. એક તો પંડિતજી રામકિંકર મહારાજની અને બીજા સ્વયં તલગાજરડાના.. તેઓ બોલ્યા કે બાપુ અમે તમને અમુક વાત પૂછીએ છીએ તમે અમને રસ્તો બતાવો.

ત્યારબાદ તેમણે પોતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, મને છોડી દો, વાલ્મિકીને પૂછો, વાલ્મિકીજીએ આ ગ્રંથને સંશોધિત કરીને દેશ, કાળ અને પાત્રો અનુસાર (વાત કહી છે). તુલસી દાસે જે ત્રિભૂવનીય ગ્રંથ આપ્યો તેમને પૂછો. હું વિનય સાથે કહેવા માગું છું કે, શા માટે આવા વિવાદ ઉભા કરી રહ્યો છો? મોરારીબાપુએ કહ્યું કે, આ લોકો પાસે કાન હોય તો થોડું સાંભળે. આદિપુરુષ ફિલ્મ વિવાદમાં આવ્યા બાદ મેકર્સ દ્વારા તેમાં કેટલાક ફેરફારનો પણ નિર્ણય લેવાયો છે, તેમ છતા લોકો દ્વારા ફિલ્મમાં દર્શાવવામાં આવેલી બાબતો મામલે નારાજગી વ્યક્ત કરીને તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત દ્વારા ડિરેક્ટર કરવામાં આવી છે અને તેની કથા રામાયણના આધાર પરથી લેવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ અને કૃતિ સેનન છે. જે રામ અને સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ આદિપુરુષ મનોજ મુંતશિર દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે અને અત્યાર સુધીમાં 400 કરોડથી વધુની કમાણી કરી લેવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. ફિલ્મના વિરોધની સાથે તેના ડિરેક્ટર, એક્ટર અને લેખક સહિતના લોકોની નિંદા કરવામાં આવી રહી છે. આ સાથે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી કઈ રીતે સર્ટિફિકેટ મળી ગયું તેવા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.