મુકેશ અંબાણી-પરિવારને વિદેશમાં પણ મળશે Z+ સુરક્ષા, ખર્ચ માટે સુપ્રીમનો નિર્દેશ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને હવે મુંબઈની બહાર પણ Z+ સુરક્ષા મળશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આદેશ આપ્યો કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ભારતમાં તેમજ વિદેશમાં Z+ સુરક્ષા કવચ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ સિક્યોરિટી કવરના ખર્ચને લઈને પણ સૂચનાઓ બહાર પાડતા કહ્યું કે, સુરક્ષાને લાગતો સમગ્ર ખર્ચ મુકેશ અંબાણી પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પોતાના ખર્ચે આપવામાં આવેલ Z+ કેટેગરીની સુરક્ષા કવચ મુંબઈ સુધી મર્યાદિત રહેશે નહીં. તેઓને સમગ્ર ભારતમાં અને વિદેશમાં મુસાફરી કરતી વખતે પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ન્યાયમૂર્તિ કૃષ્ણા મુરારી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે જણાવ્યું હતું કે, તેમને પૂરું પાડવામાં આવનાર Z+ સુરક્ષા કવચ સમગ્ર ભારતમાં આપવામાં આવશે અને મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલય દ્વારા તેની ખાતરી કરવી પડશે.

બેન્ચે કહ્યું હતું કે, જો કોઈ સુરક્ષા ખતરો હોય તો સુરક્ષા કવચને કોઈ ચોક્કસ વિસ્તાર અથવા રહેઠાણના સ્થળ સુધી મર્યાદિત કરી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે, ભારત સરકારની નીતિ મુજબ, મુકેશ અંબાણી અથવા તેમનો પરિવાર વિદેશ પ્રવાસે હોય ત્યારે પણ Z+ સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. ગૃહ મંત્રાલય દ્વારા આની ખાતરી કરવી જોઈએ. ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે, અંબાણીની દેશની અંદર અને બહાર એમ બંને જગ્યાએ બિઝનેસ પ્રવૃત્તિઓ છે. આવી સ્થિતિમાં, જો તેમની સુરક્ષાને કોઈ ચોક્કસ સ્થળ અથવા વિસ્તાર સુધી મર્યાદિત કરવામાં આવશે, તો સુરક્ષા કવચ આપવાનો મૂળ હેતુ પરાસ્ત થઈ જશે.

જ્યારે, મુકેશ અંબાણી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રાલય દ્વારા મુકેશ અંબાણી અને તેમના પરિવાર પરના ખતરાની ધારણાને ધ્યાનમાં રાખીને ઝેડ પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું કે, મુકેશ અંબાણી પરિવારનો દેશ અને દુનિયાભરમાં બિઝનેસ છે અને તેમનું સામાજિક કાર્ય પણ દેશ-વિદેશમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે. ધમકીની ધારણાને જોતાં, તેમની સુરક્ષા માટે ઉચ્ચતમ સ્તરનું સુરક્ષા કવચ ખુબ જ જરૂરી છે.

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.