મુકેશ અંબાણી-પરિવારને વિદેશમાં પણ મળશે Z+ સુરક્ષા, ખર્ચ માટે સુપ્રીમનો નિર્દેશ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને હવે મુંબઈની બહાર પણ Z+ સુરક્ષા મળશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આદેશ આપ્યો કે, મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ભારતમાં તેમજ વિદેશમાં Z+ સુરક્ષા કવચ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ સિક્યોરિટી કવરના ખર્ચને લઈને પણ સૂચનાઓ બહાર પાડતા કહ્યું કે, સુરક્ષાને લાગતો સમગ્ર ખર્ચ મુકેશ અંબાણી પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પોતાના ખર્ચે આપવામાં આવેલ Z+ કેટેગરીની સુરક્ષા કવચ મુંબઈ સુધી મર્યાદિત રહેશે નહીં. તેઓને સમગ્ર ભારતમાં અને વિદેશમાં મુસાફરી કરતી વખતે પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ન્યાયમૂર્તિ કૃષ્ણા મુરારી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે જણાવ્યું હતું કે, તેમને પૂરું પાડવામાં આવનાર Z+ સુરક્ષા કવચ સમગ્ર ભારતમાં આપવામાં આવશે અને મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલય દ્વારા તેની ખાતરી કરવી પડશે.

બેન્ચે કહ્યું હતું કે, જો કોઈ સુરક્ષા ખતરો હોય તો સુરક્ષા કવચને કોઈ ચોક્કસ વિસ્તાર અથવા રહેઠાણના સ્થળ સુધી મર્યાદિત કરી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે, ભારત સરકારની નીતિ મુજબ, મુકેશ અંબાણી અથવા તેમનો પરિવાર વિદેશ પ્રવાસે હોય ત્યારે પણ Z+ સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. ગૃહ મંત્રાલય દ્વારા આની ખાતરી કરવી જોઈએ. ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે, અંબાણીની દેશની અંદર અને બહાર એમ બંને જગ્યાએ બિઝનેસ પ્રવૃત્તિઓ છે. આવી સ્થિતિમાં, જો તેમની સુરક્ષાને કોઈ ચોક્કસ સ્થળ અથવા વિસ્તાર સુધી મર્યાદિત કરવામાં આવશે, તો સુરક્ષા કવચ આપવાનો મૂળ હેતુ પરાસ્ત થઈ જશે.

જ્યારે, મુકેશ અંબાણી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રાલય દ્વારા મુકેશ અંબાણી અને તેમના પરિવાર પરના ખતરાની ધારણાને ધ્યાનમાં રાખીને ઝેડ પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું કે, મુકેશ અંબાણી પરિવારનો દેશ અને દુનિયાભરમાં બિઝનેસ છે અને તેમનું સામાજિક કાર્ય પણ દેશ-વિદેશમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે. ધમકીની ધારણાને જોતાં, તેમની સુરક્ષા માટે ઉચ્ચતમ સ્તરનું સુરક્ષા કવચ ખુબ જ જરૂરી છે.

Top News

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.