પત્નીએ પતિને કહ્યું, મારા પિતાએ દહેજ આપ્યું છે, હું રસોઇ નહીં બનાવું, જાતે બનાવો

મારા પિતાએ લાખો રૂપિયાનું દહેજ આપ્યું છે નોકરાણી રાખવા માટે, ખાવાનું બનાવવા માટે નહીં. મને ખબર હતી કે પિતા દહેજ આપવાના જ છે એટલે ખાવાનું બનાવવાનું શીખી જ નથી. ખાવાનું બનાવવા માટે જ જો લગ્ન કરવા હતા તો દહેજ નહોતું લેવુ, હું ખાવાનું બનાવતા શીખી જતે. જમવાનું તમે બનાવો અને મને પણ ખવડાવો. હું ખાવાનું બનાવવાની નથી. ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતી એક પરિણીતાએ જ્યારે પોતાના પતિને આ વાત કરી ત્યારે પતિના હોંશ ઉડી ગયા હતા. વાત કાઉન્સેલીંગ સુધી પહોંચી ત્યાં પણ પત્નીએ આજ વાત કરી કે દહેજ આપ્યું છે, તો હું શું કામ ખાવાનું બનાવું.

ઉત્તર પ્રદેશના આગ્રાથી પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પત્ની કહે છે કે તેના પિતાએ ઘણું દહેજ આપ્યું છે, તેથી તે રસોઈ નહીં બનાવે. આટલું જ નહીં, પત્નીએ પતિને દહેજમાં મળેલી રકમથી એક નોકરાણી રાખી લે અથવા રસોઇ કરીને પોતે ખાય અને મને પણ ખવડાવે.

આ વાતોને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો વધતો ગયો. બાદમાં પત્નીએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ દહેજ માટે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પતિ-પત્નીને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલરે બંને સાથે વાત શરૂ કરી હતી.

કાઉન્સેલરને પતિએ જણાવ્યું કે પત્ની ઘરનું કોઈ કામ કરતી નથી. તે ખાવાનું પણ બનાવતી નથી અને કંઈપણ કહેવા પર ઝઘડો કરે છે. પતિએ કહ્યું કે પત્ની રસોઇ તો ઠીક પણ ઘરનું કોઇ નાનું મોટું કામ પણ કરતી નથી અને આખો દિવસ ફોન પર જ લાગેલી હોય છે. જ્યારે કાઉન્સેલરે પત્ની સાથે વાત કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે તેના પિતાએ લગ્નમાં ઘણું દહેજ આપ્યું હતું. તેને રાંધવાનું આવડતું નથી. પતિ અને સાસુ માટે ખોરાક રાંધશે નહીં. ઉપરાંત, ઘરના કામ પણ નહીં કરે. દહેજમાં મળેલી રકમ સાથે નોકરાણી રાખી લેવામાં આવે. મહિલાના વિચિત્ર શબ્દો સાંભળીને કાઉન્સેલર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની પાસે મહિલાને સમજાવવા માટે એક પણ શબ્દ નહોતો.

કાઉન્સેલરે બંને પક્ષોને સાંભળ્યા બાદ આવતા અઠવાડિયે કાઉન્સિલિંગ માટે બોલાવ્યા છે. આ બાબત ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ચર્ચાનો વિષય બની રહી છે. કાઉન્સેલર સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાનું કાઉન્સેલિંગ છે.

મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પતિ-પત્ની બંને ઉચ્ચ શિક્ષિત હોવાનું કહેવાય છે. પરંતુ, બંને વચ્ચે ઘરના કામને લઈને વિવાદ છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.