નીતિન ગડકરી બોલ્યા- ‘વોટ આપવા હોય તો આપો, માલ-પાણી નહીં મળે, લક્ષ્મી દર્શન..

લોકસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં બેનર-પોસ્ટર નહીં લગાવે. કોઈની ચા-પાણીની વ્યવસ્થા પણ નહીં કરે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું લોકોની ઈમાનદારીથી સેવા કરીશ, પરંતુ હું ન ખાઈશ અને ન કોઈને ખાવા દઇશ. શુક્રવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સિમેન્ટ કોન્ક્રિટથી બનેલા રસ્તાનું ઉદ્વઘાટન કરવા પહોંચ્યા હતા.

અહી તેમણે કાર્યક્રમને સંબોધિત કર્યો અને આગામી લોકસભાની ચૂંટણી બાબતે મોટી જાહેરાત કરી દીધી. નીતિન ગડકરીએ કહ્યું કે, મેં આ લોકસભાની ચૂંટણી માટે વિચારી લીધું છે કે બેનર-પોસ્ટર નહીં લગાવું. ચા-પાણી પણ નહીં કરાવીએ. વૉટ આપવા હોય તો આપો.. નહીં તો ન આપો. તમને (વૉટર્સને) માલ-પાણી નહીં મળે, લક્ષ્મી (પૈસા) દર્શન નહીં કરાવીએ. દેશી-વિદેશી (દારૂ) નહીં મળે. હું પૈસા ખાઉ પણ નહીં અને ખાવા પણ નહીં દઉં, પરંતુ તમારી સેવા ઈમાનદારીથી કરીશ. એ વિશ્વાસ કરો.

ઉલેખનીય છે કે નીતિન ગડકરી વર્તમાનમાં નાગપુરથી સાંસદ છે. તેમણે વર્ષ 2014 અને વર્ષ 2019માં અહીથી જીત હાંસલ કરી. નાગપુરમાં ભલે RSSનું મુખ્યાલય હોય, પરંતુ વર્ષ 2014 અગાઉ સુધી આ સીટ કોંગ્રેસનું ગઢ માનવામાં આવતી હતી. જો કે, ગડકરીએ આ મિથકને તોડ્યું અને બંને વખત ચૂંટણી જીતીને ભાજપના ખાતામાં આ સીટ આપી. મોદી સરકારમાં નીતિન ગડકરી સૌથી પરફોર્મરવાળા મંત્રીઓમાં ગણવામાં આવે છે. ગડકરી વર્ષ 2009 થી વર્ષ 2013 સુધી ભાજપાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

તેઓ મોદી સરકારમાં સડક પરિવહન અને હાઇવે મંત્રાલય સંભાળી રહ્યા છે. એ સિવાય ગડકરી મહારાષ્ટ્રમાં પણ લોક નિર્માણ વિભાગ મંત્રી તરીકે ચર્ચામાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરી પોતાની નીડર નિવેદનબાજી માટે જાણીતા છે. મોટા ભાગે જોવા મળે છે કે તેઓ પોતાના વિભાગ પાસે સંબંધિત કામોને લઈને એલર્ટ રહે છે. અહી સુધી કે ખુલ્લા મંચ પર કહે છે કે હું ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરતો નથી. સારી રીતે કામ કરવું જોઈએ. એટલું જ નહીં, ગડકરી કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતાં પણ જોવા મળે છે.

હાલમાં જ તેમણે વાશિમમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કોન્ટ્રેક્ટરોને પરેશાન ન કરો. હું વાશિમ જિલ્લાના બધા ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓને અનુરોધ કરું છું. હું કોન્ટ્રેક્ટર પર દબાવ નાખીશ અને કામ કરાવીશ, પરંતુ કૃપયા કોન્ટ્રેક્ટરને પરેશાન ન કરો, પરંતુ જો રોડ તૂટ્યો તો બુલડોઝરથી તોડી દઇશ. આ પ્રકારની ચેતવણી પણ ગડકરીએ કોન્ટ્રેક્ટરોને આપી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.