4 વર્ષથી ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓની આપવીતિ, ઉંમર નીકળી રહી છે સેનામાં..

ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો એક ખૂબ મોટો મુદ્દો છે. બનારસના હરિશ્ચંદ્ર કૉલેજ પાસે એક કેમ્પસમાં સેનામાં ભરતી માટે અભ્યાસ કરવા આવેલા યુવાનોની આ જ કહાની છે. આ યુવાનો સેનામાં ભરતી થવાનું સપનું જોઈ રહ્યા છે અને દિવસ-રાત મહેનત પણ કરી રહ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે સેનામાં ભરતી નીકળી નથી. જેના કારણે તેઓ પરેશાન છે. આ યુવાનોને ડર છે કે રાહ જોતા જોતા સેનામાં ભરતી થવાની તેમની ઉંમર પૂરી ન થઈ જાય.

મેદાનમાં ભરતી કરવા આવેલા મનુ કુમાર યાદવે જણાવ્યું કે 3 વર્ષોથી તે સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યો છે. જ્યારે ભરતી નીકળે છે તો અભ્યાસ કરવા માટે અહીં 150 જેટલા યુવાનો આવી જાય છે પરંતુ ભરતી ન નીકળવાના કારણે આ સંખ્યા હવે લગભગ 50 રહી ગઈ છે. તો ઘણા વર્ષોથી આર્મીમાં નોકરી ન નીકળવાના કારણે મનુ ખૂબ પરેશાન છે. તેના જણાવ્યા મુજબ ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને પરિવારજનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેનું માત્ર એક જ લક્ષ્ય છે કે તે ભારતીય સેનામાં ભરતી થઈ શકે અને રોજગાર મેળવી શકે.

મનુએ જણાવ્યું કે રજીસ્ટ્રેશન કરાવીને તેને કહી દેવામાં આવ્યું કે કોરોના વાયરસની લહેર આવી રહી છે. સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહેલા વિમલે જણાવ્યું કે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છે કે સેનામાં ભરતી નીકળે પરંતુ કોરોના વાયરસના કારણે ભરતીઓ નીકળી રહી નથી. તો સંદીપ નામના યુવાને જણાવ્યું કે તે છેલ્લા 4 વર્ષથી સેનામાં ભરતી થવાની તૈયારીમાં લાગ્યો છે પરંતુ વેકેન્સી નીકળી રહી નથી. તેના જણાવ્યા મુજબ તેનું આ અંતિમ એટેમ્ટ હશે તેની ઉંમર નીકળી રહી છે. સંદીપે કહ્યું કે 3 વર્ષથી ભરતી થઈ નથી એટલે ઉંમરમાં છૂટ આપવામાં આવે. તો અન્ય એક યુવાને કહ્યું કે રેલીઓ થઈ રહી છે પરંતુ ભરતી નીકળી રહી નથી. ભરતીના સમયે કોરોના આવું જાય છે.

થોડા દિવસ અગાઉ રક્ષા મંત્રી આવ્યા હતા ત્યારે કેટલાક યુવાનોએ સેનામાં ભારતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે રાજનાથ સિંહે કહ્યું હતું કે તેની પ્રક્રિયા ચાલી રહી છે. આ જવાબ છતા તેઓ શાંત ન થયા તો રાજ્યના સિંહે કહ્યું હતું કે નેતાગિરીથી વાત બગડી જાય છે. હું સમસ્યાને સમજુ છું. કોરોના મહામારીના કારણે આ સમસ્યા થઈ. આપણે આવી મહામારીનો પહેલી વખત સામનો કરી રહ્યા છીએ. 

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.