અહીં રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો જવું પડશે જેલ, તંત્રએ બનાવ્યા કડક નિયમો

ભારતમાં રખડતા ઢોર-ગાયોનો પ્રશ્ન સૌથી મોટો છે. રસ્તાઓની વચ્ચે આ પશુઓનું ટોળું બેસેલું જોવા મળી આવે છે. જેને લઇ ઘણા અકસ્માતો પણ સર્જાય છે. એટલું જ નહીં ઘણાં કિસ્સાઓમાં તો લોકોનો જીવ પણ ગયો છે. દેશમાં કેટલાય રાજ્યોમાં આ એક મોટો પ્રશ્ન છે. પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. તંત્ર થોડા સમય માટે કડક નિયમો તો બનાવી દે છે પણ વિરોધ થતાં તેનો અમલ કરવામાં આવતો નથી. જેનું પરિણામ એ આવે છે કે રખડતા પશુઓ રસ્તાઓ પર જ્યાં ને ત્યાં જોવા મળી આવે છે. જેને લીધે મોટા અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ પેદા થાય છે.

રસ્તા પર રખડતા પશુઓથી છૂટકારો મેળવવા માટે નોઇડા ઓથોરિટી દ્વારા ઘણા પ્રકારના કડક નિયમો ઉઠાવવામાં આવી રહ્યા છે. તંત્રની ટીમ પાસેથી પશુઓને છોડાવવા માટે હવે પશુઓના માલિકો પાસેથી પહેલીવાર 10 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે. દંડની વધુ રાશિ 20 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને પશુના માલિક સામે કેસ પણ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ કેસમાં માત્ર 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો અને કેસ દાખલ કરવાની કોઈ જોગવાઇ નહોતી.

નોઇડા ઓથોરિટીના મુખ્ય કાર્યપાલક અધિકારી ડૉ. લોકેશ અઠવાડિયામાં 3-4 દિવસ ફીલ્ડમાં જઇને નીરિક્ષણ કરી રહ્યા છે. દરેક વખતે તેમને રસ્તાઓ પર પશુઓ નજર આવે છે. જેને કારણે અવ્યવસ્થા અને ટ્રાફિક સર્જાય છે. ભંગેલ રોડ પર નીરિક્ષણ દરમિયાન વધારે સંખ્યામાં પશુઓ જોવા મળ્યા. તેને કારણે રસ્તા પર ટ્રાફિક જોવા મળ્યો અને અવ્યવસ્થા સર્જાઇ. કાર્યપાલક અધિકારીએ જન સ્વાસ્થ્ય વિભાગને ફટકાર લગાવતા દંડની રાશિ વધારવાનો નિર્ણય લીધો અને FIR દાખલ કરાવવાની વાત કરી.

જનસ્વાસ્થ્ય વિભાગના ઓફિસરોનું કહેવું છે કે, રખડતા પશુઓને રાખવા માટે સેક્ટર 14A શનિ મંદિરની પાસે અને સેક્ટર 135માં ગૌશાળા બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દંડ લેવાની સાથે માલિકો પાસેથી શપથ પત્ર લેવામાં આવતો હતો. પણ હવે દંડની રકમ વધારી દેવામાં આવી છે. સાથે જ જો વારે વારે તેમના તરફથી આવી સ્થિતિ પેદા કરવામાં આવશે તો પશુ માલિકો સામે FIR પણ દાખલ કરવામાં આવશે.

જણાવીએ કે, ભારતમાં એમ પણ રખડતા પશુઓની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. જોવામાં આવ્યું છે કે દૂધ ધાવણ પછી માલિક ગૌવંશને રસ્તા પર છોડી દે છે, જેને કારણે અવ્યવસ્થા પેદા થાય છે. પહેલીવાર 10 હજાર, બીજી વાર નિયમનો ભંગ કરવા પર 15 હજાર રૂપિયા અને ત્રીજી વાર નિયમનો ભંગ કરવા પર 20 હજાર રૂપિયા દંડ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ FIR દાખલ કરવાની વાત કહેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.