માત્ર રાહુલ ગાંધી નહીં, પણ તેમના દાદી અને માતાએ પણ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે

કેરળની વાયનાડ લોકસભા સીટથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. એક દિવસ અગાઉ, સુરત સેશન્સ કોર્ટે મોદી સરનેમના કેસમાં તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે તેમને દોષિત ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમની લોકસભાની સદસ્યતા જોખમમાં હતી. આખરે, શુક્રવારે, તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી. આ રીતે લોકસભાની ચૂંટણીના 1 વર્ષ પહેલાં વાયનાડ લોકસભાની બેઠક સાંસદ વગરની થઇ ગઇ છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું વાયનાડની ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી થશે? એનો જવાબ તો હવે આગળની પ્રક્રિયા થશે પછી ખબર પડશે, પરંતુ આ વાક્યએ એ યાદ અપાવ્યું કે લોકસભામાં સભ્ય પદ ગુમાવવાનો ગાંધી પરિવારનો આ પહેલો મામલો નથી. આ પહેલાં રાહુલ ગાંધીના દાદી ઇંદિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ લોકસભામાં સભ્ય પદ ગુમાવી ચૂક્યા છે.

આજે ભલે લોકસભાની સદસ્યતા રદ થયા પછી રાહુલ ગાંધીના પક્ષમાં માહોલ બનતો જોવા મળ્યો નથી, પરંતુ એક સમય હતો, જ્યારે રાહુલના દાદી પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની લોકસભા સદસ્યતા રદ થઇ એ જ તેમના માટે સંજીવની સાબિત થઇ હતી.

આ કિસ્સો ઇમરજન્સી વખતનો છે. કટોકટીના ખરાબ સમયમાં જ્યારે ચૂંટણી થઇ ત્યારે ઇંદિરા ગાંધી ખરાબ રીતે હારી ગયા હતા. એ પછી 1977-78નું વર્ષ નાટકીય રહ્યું. 1978માં ઇંદિરા ગાંધી કર્ણાટકના ચિકમંગલૂરથી પેટા ચૂંટણી જીતીને લોકસભામા પહોંચ્યા હતા.

વિરોધીઓએ તેમની છાવણી પહેલેથી જ તૈયાર કરી લીધી હતી. 18 નવેમ્બરના રોજ લોકસભામાં તેમના આગમન પર, તત્કાલીન PM મોરારજી દેસાઈએ પોતે ઇંદિરા ગાંધીને તેમના કાર્યકાળ દરમિયાન સરકારી અધિકારીઓનું અપમાન કરવા અને પદનો દુરુપયોગ કરવા બદલ  વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો અને પાસ થઇ ગયો હતો. 7 દિવસની લાંબી ચર્ચા પછી, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે ઓફિસ કેસના દુરુપયોગ સહિત ઇન્દિરા પરના અનેક આરોપોની તપાસ કર્યા પછી એક મહિનામાં રિપોર્ટ કરવાનો હતો. વિશેષાધિકાર સમિતિ એવા નિષ્કર્ષ પર આવી કે ઈન્દિરા સામેના આક્ષેપો સાચા હતા. તેમણે વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને ગૃહની અવમાનના પણ કરી છે, તેથી તેમને સંસદમાંથી હાંકી કાઢવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે અને તિહાર મોકલવામાં આવે છે. જોકે, જનતા સરકારમાં જ સંવાદિતા ન હતી અને 3 વર્ષમાં જ સરકાર પડી ગઈ હતી. આ પછી ઈન્દિરા ગાંધી 1980માં ભારે સમર્થન સાથે ફરીથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા.

હવે વાત કરીએ વર્ષ 2006ની. જ્યારે સંસદમાં લાભના પદનો મામલો જોર શોરથી ચાલતો હતો, તે વખતે દેશમાં UPA સરકાર હતી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આરોપોથી  ઘેરાયેલા હતા. સોનિયા ગાંધી તે વખતે રાયબરેલીથી સાંસદ હતા. એની સાથે તેઓ UPA સરકારમાં બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા.જેને લાભનું પદ કહેવામાં આવ્યું હતું. જેને લીધે સોનિયા ગાંધીએ લોકસભા સભ્ય પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ રાયબરેલીથી ફરી ચૂંટણી લડ્યા.

જો કે, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી બંનેએ રાજકીય કસોટીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યા પછી મજબૂતી સાથે પાછા ફર્યા હતા. રાહુલ, ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે, જેમનું સભ્યપદ ગયું છે. અગાઉ તેઓ અમેઠીમાં સત્તા ગુમાવી ચૂક્યા છે અને હવે વાયનાડ પણ હાથમાંથી બહાર છે. હવે જોવાનું એ રહેશે કે માતા અને દાદીની જેમ રાહુલ મજબુતી સાથે પાછા ફરે છે કે કેમ.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.