નૂહ બુલડોઝર કાર્યવાહીને રોકી હતી, હવે હાઇકોર્ટની આ બેન્ચને સુનાવણીથી કેમ હટાવાઇ?

પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટની એક બેન્ચે 7 ઑગસ્ટના રોજ નૂહ અને ગુરુગ્રામમાં થયેલી હિંસા પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટે હિંસા બાદ નૂહમાં લોકોના ઘર પર કરવામાં આવી રહેલી બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. સાથે જ કોર્ટે હરિયાણા સરકારને સવાલ કર્યો હતો કે, શું રાજ્ય જાતીય સંહાર કરવાના પ્રયાસ કરી રહી છે? હવે આ બેન્ચને બદલી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, 10 ઑગસ્ટની મોડી રાત્રે થયેલી કોર્ટની આ બેન્ચને બદલી દેવામાં આવી.

બેન્ચ આજે (11 ઑગસ્ટના રોજ) સુનાવણી કરવાની હતી. એ અગાઉ બેન્ચની બદલી કરી દેવામાં આવી છે. તેમાં જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવણ સામેલ છે. હવે જસ્ટિસ અરુણ પલ્લી અને જસ્ટિસ જગમોહન બંસલની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. જસ્ટિસ જી.એસ. સંધાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવનની બેન્ચે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે, જે ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, શું તે કોઈ એક સમુદાયના લોકોની છે?

શું સરકાર કાયદા વ્યવસ્થાની આડમાં એમ કરી રહી છે? હાઇ કોર્ટે હરિયાણા સરકારને એક નોટિસ પણ જાહેર કરી હતી. કોર્ટે તેને જાહેર કરતા પોતાના આદેશમાં કહ્યું હતું કે, મુદ્દો એ પણ છે કે શું કાયદા વ્યવસ્થાની આડમાં કોઈ એક ખાસ સમુદાયની ઇમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે? અને શું રાજ્ય સરકાર જાતીય સંહારનો પ્રયાસ કરી રહી છે?’ જાતીય સંહારને અંગ્રેજીમાં ‘એથનિક ક્લિનસિંગ’ કહેવામાં અવે છે, તેનો અર્થ છે કે કોઈ જગ્યાથી એક ખાસ સમુદાયને હટાવવા માટે બળ કે ધમકીનો ઉપયોગ કરવાનું.

કોર્ટે હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજના નિવેદન પર ટિપ્પણી કરી રહી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાંપ્રદાયિક હિંસાની તપાસ કરી રહી છે અને બુલડોઝર સારવારનો હિસ્સો છે. કોર્ટે અંગ્રેજી લેખક અને ઇતિહાસકાર લોર્ડ એક્ટનની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા તમને પૂરી રીતે ભ્રષ્ટ કરી દે છે. કોઈ પણ નોટિસ વિના લોકોના ઘર ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. જાહેર છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે.

કોર્ટે હરિયાણા સરકારને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં તેમણે જણાવવાનું હતું કે નૂહ અને ગુરુગ્રામમાં છેલ્લા બે અઠવાડિયામાં કેટલી ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી? શું આ અગાઉ મકાન માલિકોને કોઈ નોટિસ આપવામાં આવી હતી? હાઇ કોર્ટના આદેશ બાદ પોલીસ નાયબ કમિશનર ધીરેન્દ્ર ખડગટાએ અધિકારીઓને બુલડોઝરની કાર્યવાહી રોકવા કહ્યું હતું. નૂહમાં 31 જુલાઇના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની વૃજમંડળ યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. તેમાં 6 લોકોના મોત થયા હતા.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.