ઈદના દિવસે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અનેક શહેરોના નામ બદલી નાખ્યા, ઔરંગઝેબપુર થઇ જશે શિવાજીનગર અને મિયાંવાલા...

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓમાં ઘણી જગ્યાઓના નામ બદલી દીધા છે. મુખ્યમંત્રી ધામીએ ઈદના દિવસે જ આ જિલ્લાઓમાં ઘણી જગ્યાઓના નામ બદલી નાખ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ બદલાવો બાદ કહ્યું કે, આ જનભાવના, ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુરુપ બદલાવ કરવામાં આવી રહ્યા છે. આગીમી સમયમાં પણ જનભાવના, ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુલક્ષીને વિવિધ સ્થળોના નામોમાં પરિવર્તન થતા રહેશે. જેથી લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનાર મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે.

BJP2
livehindustan.com

 

હરિદ્વાર જિલ્લામાં, ઔરંગઝેબપુરનું નામ શિવાજી નગર, ગાઝીવલીનું નામ આર્ય નગર, ચાંદપુરનું નામ જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જાટનું નામ મોહનપુર જાટ, ખાનપુર કુર્સલીનું નામ આંબેડકર નગર, ઈન્દ્રિશપુરનું નામ નંદપુર, ખાનપુરનું નામ શ્રી કૃષ્ણપુર અને અકબરપુર ફઝલપુરનું નામ વિજયનગર રાખવામાં આવશે.

BJP1
hindi.news18.com

 

આ જગ્યાઓના નામ બદલાયા

દેહરાદૂન જિલ્લામાં, મિયાંવાલાનું નામ બદલીને રામજી વાલા, પીરવાલાનું નામ કેશરી નગર, ચાંદપુર ખુર્દનું નામ પૃથ્વીરાજ નગર અને અબ્દુલ્લા નગરનું નામ દક્ષ નગર રાખવામાં આવશે. નૈનીતાલ જિલ્લામાં નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ અને પંચક્કીથી ITI સુધીના રસ્તાનું નામ ગુરુ ગોલવલકર માર્ગ રાખવામાં આવશે. ઉધમ સિંહ નગરમાં સુલ્તાનપુર પટ્ટી મ્યુનિસિપલ કાઉન્સિલનું નામ બદલીને કૌશલ્યા પુરી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 4 જિલ્લાના 17 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. દેહરાદૂનનું મિયાવાલાં હવે રામજીવાલા બનશે. નૈનીતાલના નવાબી રોડનું નામ અટલ માર્ગ રાખવામાં આવશે. USનગરની નગર પંચાયતનું નામ પણ બદલાશે. નગર પંચાયત સુલ્તાનપુર પટ્ટી કૌશલ્યા પુરી બનશે. હરિદ્વારનું સલેમપુર શૂરસેન નગર બનશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.