ખ્રિસ્તી બનનારને ન મળે ST ક્વોટા, દિલ્હીમાં ભેગા થશે હજારો આદિવાસી

On

હિંદુમાંથી ખ્રિસ્તી કે અન્ય ધર્મોમાં ગયેલા જનજાતિય લોકોને અનામત આપવામાં આવે કે નહીં આ બહેસ લાંબા સમયથી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી આવનાર હજારો આદિવાસી ભેગા થશે અને માગ કરશે કે ધર્માંતરણ કરનારા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાંથી બહાર કરવામાં આવે અને તેમને અનામત ન મળે. ક્રિસમસની પૂર સંધ્યા પર રાંચીમાં લગભગ 5,000 આદિવાસી ભેગા થયા હતા અને આ જ માગ કરી. આ આયોજન જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી પ્રેરિત માનવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠન દેશના બધા હિન્દુ આદિવાસીને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યું છે. જનજાતિ સુરક્ષા મંચનું કહેવું છે કે આદિવાસી સમાજના જે લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે, તેમને ચર્ચ અને મિશનરી પાસેથી મદદ મળી રહી છે. તેમના બાળકોને ભણવાની સુવિધા મળી રહી છે અને આર્થિક લાભ પણ મળ્યા છે. તેના કારણે એ આદિવાસીઓથી મજબૂત સ્થિતિમાં છે, જેમણે પોતાનો ધર્મ બદલ્યો નથી. ધર્માંતરણ કરનારા આદિવાસીઓને લિસ્ટમાંથી બહાર કરવાની માગ કરવાનો તર્ક છે કે આ લોકોને ચર્ચના માધ્યમથી વિદેશી ફંડ મળી રહ્યું છે.

અનામતનો લાભ મળી રહ્યો છે અને સરકાર તરફથી લઘુમતીઓ માટે ચાલી રહેલી યોજનાઓનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. આ પ્રકારે આ લોકોને ધાર્મિક લઘુમતીનો પણ લાભ મળી રહ્યો છે અને જાતીય અનામત પણ મળી રહ્યું છે. આ વિરોધાભાસી છે અને નિયમ વિરુદ્ધ છે. રાંચીમાં થયેલી રેલીની અધ્યક્ષતા કરનારા લોકસભાના પૂર્ણ ડેપ્યુટી સ્પીકર કુરિયા મુંડાએ કહ્યું કે, ધર્માંતરણ કરનારા આદિવાસીઓની સંખ્યા 15 ટકાથી 20 ટકા છે, પરંતુ જ્યારે આપણે સરકારી નોકરીઓ અને ક્લાસ વન અધિકારીઓની વાત કરીએ છીએ તો તેમાં તેમની ભાગીદારી કુલ આદિવાસીઓની તુલનામાં 90 ટકા સુધી છે. ધર્માંતરણ કરનારા આદિવાસીઓની લિસ્ટથી બહાર કરવાની માગ નવી નથી, પરંતુ રાંચીમાં થયેલા આયોજને તેને મજબૂતી આપી છે.

હવે જનજાતિ સુરક્ષા મંચ દિલ્હીમાં મોટી રેલીની તૈયારીમાં છે. ફેબ્રુરીમાં થનારી આ રેલી માટે અત્યારે તારીખ નક્કી કરવામાં આવી નથી. સંગઠનનું કહેવું છે કે રાંચી અગાઉ મુંબઈ, નાગપુર જેવા શહેરોમાં આ મીટિંગ થઈ ચૂકી છે. હવે તેને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં રેલી થશે. સંગઠનના રાષ્ટ્રીય સહ સંયોજક રાજકિશોર હંસદાએ કહ્યું કે, સવિધાન નિર્માતાઓએ ST અનામત એટલે લાગુ કર્યું હતું જેથી દેશની 700 મૂળ જનજાતિયોને સુવિધા મળી શકે, પરંતુ તેનો પૂરો લાભ ચર્ચ સમર્થક લોકોને મળી રહ્યો છે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.