ખ્રિસ્તી બનનારને ન મળે ST ક્વોટા, દિલ્હીમાં ભેગા થશે હજારો આદિવાસી

હિંદુમાંથી ખ્રિસ્તી કે અન્ય ધર્મોમાં ગયેલા જનજાતિય લોકોને અનામત આપવામાં આવે કે નહીં આ બહેસ લાંબા સમયથી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી આવનાર હજારો આદિવાસી ભેગા થશે અને માગ કરશે કે ધર્માંતરણ કરનારા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાંથી બહાર કરવામાં આવે અને તેમને અનામત ન મળે. ક્રિસમસની પૂર સંધ્યા પર રાંચીમાં લગભગ 5,000 આદિવાસી ભેગા થયા હતા અને આ જ માગ કરી. આ આયોજન જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી પ્રેરિત માનવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠન દેશના બધા હિન્દુ આદિવાસીને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યું છે. જનજાતિ સુરક્ષા મંચનું કહેવું છે કે આદિવાસી સમાજના જે લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે, તેમને ચર્ચ અને મિશનરી પાસેથી મદદ મળી રહી છે. તેમના બાળકોને ભણવાની સુવિધા મળી રહી છે અને આર્થિક લાભ પણ મળ્યા છે. તેના કારણે એ આદિવાસીઓથી મજબૂત સ્થિતિમાં છે, જેમણે પોતાનો ધર્મ બદલ્યો નથી. ધર્માંતરણ કરનારા આદિવાસીઓને લિસ્ટમાંથી બહાર કરવાની માગ કરવાનો તર્ક છે કે આ લોકોને ચર્ચના માધ્યમથી વિદેશી ફંડ મળી રહ્યું છે.

અનામતનો લાભ મળી રહ્યો છે અને સરકાર તરફથી લઘુમતીઓ માટે ચાલી રહેલી યોજનાઓનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. આ પ્રકારે આ લોકોને ધાર્મિક લઘુમતીનો પણ લાભ મળી રહ્યો છે અને જાતીય અનામત પણ મળી રહ્યું છે. આ વિરોધાભાસી છે અને નિયમ વિરુદ્ધ છે. રાંચીમાં થયેલી રેલીની અધ્યક્ષતા કરનારા લોકસભાના પૂર્ણ ડેપ્યુટી સ્પીકર કુરિયા મુંડાએ કહ્યું કે, ધર્માંતરણ કરનારા આદિવાસીઓની સંખ્યા 15 ટકાથી 20 ટકા છે, પરંતુ જ્યારે આપણે સરકારી નોકરીઓ અને ક્લાસ વન અધિકારીઓની વાત કરીએ છીએ તો તેમાં તેમની ભાગીદારી કુલ આદિવાસીઓની તુલનામાં 90 ટકા સુધી છે. ધર્માંતરણ કરનારા આદિવાસીઓની લિસ્ટથી બહાર કરવાની માગ નવી નથી, પરંતુ રાંચીમાં થયેલા આયોજને તેને મજબૂતી આપી છે.

હવે જનજાતિ સુરક્ષા મંચ દિલ્હીમાં મોટી રેલીની તૈયારીમાં છે. ફેબ્રુરીમાં થનારી આ રેલી માટે અત્યારે તારીખ નક્કી કરવામાં આવી નથી. સંગઠનનું કહેવું છે કે રાંચી અગાઉ મુંબઈ, નાગપુર જેવા શહેરોમાં આ મીટિંગ થઈ ચૂકી છે. હવે તેને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં રેલી થશે. સંગઠનના રાષ્ટ્રીય સહ સંયોજક રાજકિશોર હંસદાએ કહ્યું કે, સવિધાન નિર્માતાઓએ ST અનામત એટલે લાગુ કર્યું હતું જેથી દેશની 700 મૂળ જનજાતિયોને સુવિધા મળી શકે, પરંતુ તેનો પૂરો લાભ ચર્ચ સમર્થક લોકોને મળી રહ્યો છે.

Related Posts

Top News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.