ખ્રિસ્તી બનનારને ન મળે ST ક્વોટા, દિલ્હીમાં ભેગા થશે હજારો આદિવાસી

હિંદુમાંથી ખ્રિસ્તી કે અન્ય ધર્મોમાં ગયેલા જનજાતિય લોકોને અનામત આપવામાં આવે કે નહીં આ બહેસ લાંબા સમયથી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી આવનાર હજારો આદિવાસી ભેગા થશે અને માગ કરશે કે ધર્માંતરણ કરનારા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાંથી બહાર કરવામાં આવે અને તેમને અનામત ન મળે. ક્રિસમસની પૂર સંધ્યા પર રાંચીમાં લગભગ 5,000 આદિવાસી ભેગા થયા હતા અને આ જ માગ કરી. આ આયોજન જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી પ્રેરિત માનવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠન દેશના બધા હિન્દુ આદિવાસીને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યું છે. જનજાતિ સુરક્ષા મંચનું કહેવું છે કે આદિવાસી સમાજના જે લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે, તેમને ચર્ચ અને મિશનરી પાસેથી મદદ મળી રહી છે. તેમના બાળકોને ભણવાની સુવિધા મળી રહી છે અને આર્થિક લાભ પણ મળ્યા છે. તેના કારણે એ આદિવાસીઓથી મજબૂત સ્થિતિમાં છે, જેમણે પોતાનો ધર્મ બદલ્યો નથી. ધર્માંતરણ કરનારા આદિવાસીઓને લિસ્ટમાંથી બહાર કરવાની માગ કરવાનો તર્ક છે કે આ લોકોને ચર્ચના માધ્યમથી વિદેશી ફંડ મળી રહ્યું છે.

અનામતનો લાભ મળી રહ્યો છે અને સરકાર તરફથી લઘુમતીઓ માટે ચાલી રહેલી યોજનાઓનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. આ પ્રકારે આ લોકોને ધાર્મિક લઘુમતીનો પણ લાભ મળી રહ્યો છે અને જાતીય અનામત પણ મળી રહ્યું છે. આ વિરોધાભાસી છે અને નિયમ વિરુદ્ધ છે. રાંચીમાં થયેલી રેલીની અધ્યક્ષતા કરનારા લોકસભાના પૂર્ણ ડેપ્યુટી સ્પીકર કુરિયા મુંડાએ કહ્યું કે, ધર્માંતરણ કરનારા આદિવાસીઓની સંખ્યા 15 ટકાથી 20 ટકા છે, પરંતુ જ્યારે આપણે સરકારી નોકરીઓ અને ક્લાસ વન અધિકારીઓની વાત કરીએ છીએ તો તેમાં તેમની ભાગીદારી કુલ આદિવાસીઓની તુલનામાં 90 ટકા સુધી છે. ધર્માંતરણ કરનારા આદિવાસીઓની લિસ્ટથી બહાર કરવાની માગ નવી નથી, પરંતુ રાંચીમાં થયેલા આયોજને તેને મજબૂતી આપી છે.

હવે જનજાતિ સુરક્ષા મંચ દિલ્હીમાં મોટી રેલીની તૈયારીમાં છે. ફેબ્રુરીમાં થનારી આ રેલી માટે અત્યારે તારીખ નક્કી કરવામાં આવી નથી. સંગઠનનું કહેવું છે કે રાંચી અગાઉ મુંબઈ, નાગપુર જેવા શહેરોમાં આ મીટિંગ થઈ ચૂકી છે. હવે તેને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં રેલી થશે. સંગઠનના રાષ્ટ્રીય સહ સંયોજક રાજકિશોર હંસદાએ કહ્યું કે, સવિધાન નિર્માતાઓએ ST અનામત એટલે લાગુ કર્યું હતું જેથી દેશની 700 મૂળ જનજાતિયોને સુવિધા મળી શકે, પરંતુ તેનો પૂરો લાભ ચર્ચ સમર્થક લોકોને મળી રહ્યો છે.

Related Posts

Top News

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.