પાકિસ્તાન પાછા જવાની વાત પર સીમાએ કહ્યું- હિંદુ બની ગઈ છું, પાછી મોકલી તો...

PUBG ગેમ દ્વારા પહેલા મિત્રતા, પછી પ્રેમ થયા બાદ પાકિસ્તાનથી ગેરકાયદેસરરીતે ગ્રેટર નોયડા આવેલી સીમા હૈદર અને સચિનને કોર્ટે જામીન આપી દીધા છે. સીમા પોતાની સાથે ચાર બાળકોને પણ લઇને આવી છે. સીમા અને સચિનને જેલમાંથી છોડી દેવામાં આવ્યા છે. શુક્રવારે કોર્ટે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર અને નોયડાના સચિનને છોડવાના આદેશ આપી દીધા. ત્યારબાદ સીમા અને સચિનને જેલમાંછી છોડી મુકવામાં આવ્યા. સીમા પોતાના ચાર બાળકોને લઇને સચિનની પાસે પાકિસ્તાનથી આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ સીમા સચિનના ઘરે પાછી પહોંચી ગઈ. દરમિયાન, સીમાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે સચિનને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના બાળકો સાથે ભારતમાં જ રહેવા માંગે છે.

સીમાએ કહ્યું કે, તેણે સચિન માટે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. તે સચિન સાથે કોર્ટ મેરેજ કરશે. તેમજ, સીમાના પહેલા પતિએ મોદી સરકારને તેની પત્ની અને બાળકો પાછા પાકિસ્તાન મોકલવાની અપીલ કરી છે, તેના પર સીમાએ કહ્યું કે તે વર્ષ 2019 અને 2020 બાદથી હૈદરના સંપર્કમાં નથી, તે માત્ર બહાના બનાવી રહ્યો છે. જો તે પાછી પાકિસ્તાન ગઈ તો તેને જાનથી મારી નાંખવામાં આવશે. જો બાળકોએ જવુ હોય તો જઈ શકે છે પરંતુ, બાળકો મને છોડીને નહીં જશે. બીજી તરફ સચિને કહ્યું કે, પબજી દ્વારા મને સીમા સાથે પ્રેમ થયો હતો. અમે નેપાળમાં મળ્યા હતા પછી, એકસાથે રહેવાની કસમો ખાઈ હતી. અમે નેપાળમાં લગ્ન પણ કરી લીધા હતા. સીમાએ હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હું સીમાને અહીં પોતાની સાથે રાખવા માંગુ છું.

નોયડા પોલીસના જણાવ્યા અનુસાર, સીમા હૈદર પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈસ્માબાદની નિવાસી છે. દસ્તાવેજો અનુસાર, સીમાના લગ્ન ગુલામ રજા સાથે 2014માં થયા હતા. ગુલામ હૈદર કરાચીમાં પોતાની ફેમિલી સાથે રહેતો હતો. ત્યાં તે ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. 2019માં ગુલામ હૈદર કામની શોધમાં સઉદી અરબ ચાલ્યો ગયો. ગુલામ સાથે લગ્ન બાદ ત્રણ દીકરીઓ અને એક દીકરો થયા. સૌથી મોટી દીકરી 7 વર્ષની છે.

સીમા હૈદર અને નોયડાનો સચિન પબજી ગેમ રમતા એકબીજાના સંપર્કમાં આવ્યા. સીમાએ સચિનને મળવા ઘણીવાર પ્રયત્ન કર્યો. તે માર્ચ 2023માં કરાચીથી નીકળી અને નેપાળની પાસે શાહજહાં પહોંચી. ત્યાંથી કાઠમાંડુ ગઈ. આ બાજુથી સચિન પણ નોયડાથી કાઠમાંડુ બસમાં રવાના થયો. ત્યાં જઈને બંને મળ્યા અને 7 દિવસ સુધી એક હોટેલમાં રોકાયા. ત્યારબાદ સીમા પાછી પાકિસ્તાન ચાલી ગઈ અને સચિન પણ પાછો આવી ગયો.

નેપાળથી પાછા પાકિસ્તાન ગયા બાદ સીમાએ કરાચીમાં એક ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો. તેણે પૂછ્યું કે તે કઈ રીતે પોતાના ચાર બાળકો સાથે ભારત જઈ શકે છે. તેને જાણકારી મળી કે નેપાળના રસ્તે તે સરળતાથી દાખલ થઈ શકે છે. ત્યારબાદ સીમા નેપાળના રસ્તે દિલ્હી પહોંચી હતી. નેપાળ સુધી પહોંચવા માટે સીમાને પોતાના બાળકોના પાસપોર્ટની જરૂર હતી. આથી, પૈસા ભેગા કરવા માટે તેણે જમીન વેચી દીધી અને પાસપોર્ટ બનાવ્યા. ત્યારબાદ તે બાળકોને લઇને પાકિસ્તાનથી કાઠમાંડુ પહોંચી અને ત્યાંથી દિલ્હી આવી. 13 મેના રોજ સીમા ગૌતમબુદ્ધ નગરના રબૂપુરા વિસ્તારમાં સચિનને ત્યાં પહોંચી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.