એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો હતો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો, પરંતુ કેપ્ટને હાઇજેક થવાના ડરથી દરવાજો ન ખોલ્યો. આ વ્યક્તિ 8 અન્ય સાથીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. બધા 9 મુસાફરોને CISFને સોંપી દેવામાં આવ્યા.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘અમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા વારાણસી જતી ફ્લાઇટને લઇને માહિતી મળી હતી. એક મુસાફર શૌચાલય શોધતા-શોધતા કોકપીટના પ્રવેશ વિસ્તારમાં પહોંચી ગયો. અમે લોકોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે ફ્લાઇટમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની ભૂલ થઈ નથી. લેન્ડિંગ સમયે અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને હાલમાં તપાસ ચાલી રહી છે.

Air-India
livemint.com

એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ઉડાણ ભર્યાના થોડા સમય બાદ, એક મુસાફરે કોકપીટ કેબિનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. કોકપીટ ખોલવા માટે પાસકોડ નાખતા જ પાઇલટ પાસે સિગ્નલ પહોંચ્યું. જ્યારે પાયલોટે CCTV ફૂટેજ જોઈ, ત્યારે તેણે હાઇજેકના ડરથી દરવાજો ન ખોલ્યો. એર ઇન્ડિયાનો દાવો છે કે શૌચાલય શોધતી વખતે મુસાફરે કોકપીટ વિસ્તારમાં પ્રવેશી ગયો હતો. જો કે, સવાલ એ ઊભો થાય છે કે આ મુસાફરને કોકપીટનો પાસકોડ કેવી રીતે ખબર પડી?

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, જે મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, તે મુસાફર પહેલી વખત ઉડાણ ભરી રહ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું, ત્યારે તેણે કહ્યું કે તે શૌચાલયનો ઉપયોગ કરવા માગતો હતો અને તેને લાગ્યું કે તે દરવાજો છે. જોકે, જ્યારે ક્રૂએ તેને જણાવ્યું તેણે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે ચૂપચાપ પરત ફરી ગયો.

Air-India
telanganatoday.com

જો કે, મુસાફરે કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086 સવારે 8:00 વાગ્યા બાદ બેંગ્લોરથી રવાના થઈ હતી. ફ્લાઇટ વારાણસીમાં ઉતર્યા બાદ, આરોપી મુસાફરોને CISF કર્મચારીઓને સોંપી દેવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.