એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો હતો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો, પરંતુ કેપ્ટને હાઇજેક થવાના ડરથી દરવાજો ન ખોલ્યો. આ વ્યક્તિ 8 અન્ય સાથીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. બધા 9 મુસાફરોને CISFને સોંપી દેવામાં આવ્યા.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘અમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા વારાણસી જતી ફ્લાઇટને લઇને માહિતી મળી હતી. એક મુસાફર શૌચાલય શોધતા-શોધતા કોકપીટના પ્રવેશ વિસ્તારમાં પહોંચી ગયો. અમે લોકોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે ફ્લાઇટમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની ભૂલ થઈ નથી. લેન્ડિંગ સમયે અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને હાલમાં તપાસ ચાલી રહી છે.

Air-India
livemint.com

એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ઉડાણ ભર્યાના થોડા સમય બાદ, એક મુસાફરે કોકપીટ કેબિનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. કોકપીટ ખોલવા માટે પાસકોડ નાખતા જ પાઇલટ પાસે સિગ્નલ પહોંચ્યું. જ્યારે પાયલોટે CCTV ફૂટેજ જોઈ, ત્યારે તેણે હાઇજેકના ડરથી દરવાજો ન ખોલ્યો. એર ઇન્ડિયાનો દાવો છે કે શૌચાલય શોધતી વખતે મુસાફરે કોકપીટ વિસ્તારમાં પ્રવેશી ગયો હતો. જો કે, સવાલ એ ઊભો થાય છે કે આ મુસાફરને કોકપીટનો પાસકોડ કેવી રીતે ખબર પડી?

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, જે મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, તે મુસાફર પહેલી વખત ઉડાણ ભરી રહ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું, ત્યારે તેણે કહ્યું કે તે શૌચાલયનો ઉપયોગ કરવા માગતો હતો અને તેને લાગ્યું કે તે દરવાજો છે. જોકે, જ્યારે ક્રૂએ તેને જણાવ્યું તેણે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે ચૂપચાપ પરત ફરી ગયો.

Air-India
telanganatoday.com

જો કે, મુસાફરે કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086 સવારે 8:00 વાગ્યા બાદ બેંગ્લોરથી રવાના થઈ હતી. ફ્લાઇટ વારાણસીમાં ઉતર્યા બાદ, આરોપી મુસાફરોને CISF કર્મચારીઓને સોંપી દેવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.