NIA ચાર્જશીટમાં ખુલાસો: કન્હૈયાલાલ હત્યા અગાઉ હત્યારાઓએ જોઇ હતી આ વેબ સીરિઝ

કન્હૈયાલાલ હત્યાકાંડમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 3500 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે. આ ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, કન્હૈયાલાલ હત્યા માટે વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં સૌથી વધુ પાકિસ્તાનના એક્ટિવ હતા. કન્હૈયાલાલની હત્યા માટે TLP લીડરે ગૌસ અને રિયાઝને મોહરો બનાવ્યા હતા. તો ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં PFIની પણ ભૂમિકા સામે આવી છે. કન્હૈયાલાલ હત્યાકાંડમાં NIAએ 3500 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે.

તેમાં સામે આવ્યું છે કે, દરજી કન્હૈયાલાલની હત્યાનો પ્લાન પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યો હતો. કન્હૈયાલાલને મારવા અગાઉ બધા હત્યારાઓએ ઇર્તુજુલ ગાઝીની વેબ સીરિઝ જોઇ હતી. ચાર્જશીટમાં બતાવવામાં આવ્યું છે કે, કન્હૈયાલાલની હત્યા માટે એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવ અને ઉશ્કેરવાનું કામ પાકિસ્તાની જ કરતા હતા. સામે આવ્યું કે પાકિસ્તાનમાં TLP લીડરે આરોપી ગૌસ અને રિયાઝને મોહરો બનાવ્યો હતો.

NIAની ચાર્જશીટમાં વધુ એક ખુલાસો થયો કે કેવી રીતે રિયાઝ અને ગૌસે કન્હૈયાલાલને મારવા માટે ટીમ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં NIAએ પાકિસ્તાની નાગરિકો સહિત 11 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. NIAના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, હત્યા અને તેનો વીડિયો પ્રસાર આખા દેશમાં જનતા વચ્ચે ડર અને આતંક ઉત્પન્ન કરવા માટે કરવામાં આવ્યો હતો. કેસ શરૂઆતમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ધાનમંડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને ત્યારબાદ NIA દ્વારા ફરી નોંધવામાં આવ્યો હતો.

કન્હૈયાલાલ (ઉંમર 48 વર્શ)ની 28 જૂન 2022ના રોજ તેની દુકાનની અંદર એક ધારદાર હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી. હુમલો કરનારાઓએ દાવો કર્યો કે તેમણે ઇસ્લામના કથિત અપમાનનો બદલો લેવા માટે તેની હત્યા કરી હતી. આરોપીઓ વિરુદ્ધ જયપુરમાં એક વિશેષ NIA કોર્ટમાં ભારતીય દંડ સંહિતા (IPC), ગેરકાયદેસર ગતિવિધિ (રોકાણ) અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું.

PFI કાર્યકર્તા કેડરો વિરુદ્ધ અભિયાન છેડતા NIAએ 10 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરથી આરોપી મોહમ્મદ સોહેલની ધરપકડ કરી હતી. તેને સવારે જલદી જ NIAની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક નફરત ફેલાવવા અને PFIના ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા સામે આવી છે. જાણકાર કહે છે કે, ઉદયપુરના રહેવાસી સોહેલે PFI કેડરો અને સભ્યો સાથે મળીને મુસ્લિમ યુવાનોને હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિઓ માટે કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. સોહેલ SDPI ઉદયપુરનો જિલ્લાધ્યક્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.