અમેરિકન મીડિયાને PM મોદીનો સણસણતો જવાબ, કહ્યું- અહીં બધા ધર્મના લોકો ખુશ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, ભારત-પાકિસ્તાન, ભારત-ચીન વચ્ચેના સંબધો વિશે પણ તેમણે જણાવ્યું છે. અમેકિન મીડિયાએ સવાલ કર્યો હતો કે ભારતમાં લઘુમતી સાથે ભેદભાવ થાય છે? જેના જવાબમાં પ્રધાનમંત્રીએ સણસણતો જવાબ આપ્યો હતો કે ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે.

અમેરિકાના ન્યૂઝ મેગેઝીન ન્યૂઝવીકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતી સાથે ભેદભાવને લઇને સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે અને સંપન્ન થઇ રહ્યા છે. પછી ભલે તે મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પારસી હોય. તેમણે આગળ કહ્યું કે, કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના દાયરાની બહારના લોકોને મળવાની તસ્દી લેતા નથી.

PM મોદીએકહ્યું કે, જ્યારે યોજના અને ઇનોવેશનની વાત આવે છે, ત્યારે સરકાર અલગ અભિગમ સાથે કામ કરે છે. આ યોજનાઓ કોઈ ચોક્કસ સમુદાય અથવા કોઈપણ સ્થળ સુધી મર્યાદિત હોતી નથી. તે તમામ લોકો માટે ઉપલબ્ધ છે. આ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય. તેમણે કહ્યું કે, સરકારે ઘર, શૌચાલય, પાણી કનેક્શન, ગેસ સિલિન્ડર અને આરોગ્ય વીમા યોજના સમાજ અને ધર્મની પરવા કર્યા વગર બધા લોકો સુધી પહોંચાડી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ આખા ક્ષેત્ર અને દુનિયા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે એના માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ પર તાત્કાલિક ચર્ચા કરવાની જરૂરત છે, જેથી મતભેદો ખતમ કરી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધ વિશે પણ સવાલ પુછવામાં આવ્યો હતો. PM મોદીએ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારત હમેં આતંક અને હિંસાથી મૂક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધીને વધારવાના સમર્થનમાં રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાં મોકલવાના સવાલ પર PM મોદીએ કહ્યું કે, એ પાકિસ્તાનના આંતરિક મામલો છે, જેની પર હું ટીપ્પણી નહીં કરું.

ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર પર પણ વાત કરી, તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ અમારી રાષ્ટ્રીય ચેતનામાં નોંધાયેલું છે. તેમના જીવને અમારી સભ્યતામાં વિચારોમાં અને મૂલ્યોની રૂપરેખા નક્કી કરી છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.