અમેરિકન મીડિયાને PM મોદીનો સણસણતો જવાબ, કહ્યું- અહીં બધા ધર્મના લોકો ખુશ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, ભારત-પાકિસ્તાન, ભારત-ચીન વચ્ચેના સંબધો વિશે પણ તેમણે જણાવ્યું છે. અમેકિન મીડિયાએ સવાલ કર્યો હતો કે ભારતમાં લઘુમતી સાથે ભેદભાવ થાય છે? જેના જવાબમાં પ્રધાનમંત્રીએ સણસણતો જવાબ આપ્યો હતો કે ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે.

અમેરિકાના ન્યૂઝ મેગેઝીન ન્યૂઝવીકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતી સાથે ભેદભાવને લઇને સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે અને સંપન્ન થઇ રહ્યા છે. પછી ભલે તે મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પારસી હોય. તેમણે આગળ કહ્યું કે, કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના દાયરાની બહારના લોકોને મળવાની તસ્દી લેતા નથી.

PM મોદીએકહ્યું કે, જ્યારે યોજના અને ઇનોવેશનની વાત આવે છે, ત્યારે સરકાર અલગ અભિગમ સાથે કામ કરે છે. આ યોજનાઓ કોઈ ચોક્કસ સમુદાય અથવા કોઈપણ સ્થળ સુધી મર્યાદિત હોતી નથી. તે તમામ લોકો માટે ઉપલબ્ધ છે. આ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય. તેમણે કહ્યું કે, સરકારે ઘર, શૌચાલય, પાણી કનેક્શન, ગેસ સિલિન્ડર અને આરોગ્ય વીમા યોજના સમાજ અને ધર્મની પરવા કર્યા વગર બધા લોકો સુધી પહોંચાડી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ આખા ક્ષેત્ર અને દુનિયા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે એના માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ પર તાત્કાલિક ચર્ચા કરવાની જરૂરત છે, જેથી મતભેદો ખતમ કરી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધ વિશે પણ સવાલ પુછવામાં આવ્યો હતો. PM મોદીએ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારત હમેં આતંક અને હિંસાથી મૂક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધીને વધારવાના સમર્થનમાં રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાં મોકલવાના સવાલ પર PM મોદીએ કહ્યું કે, એ પાકિસ્તાનના આંતરિક મામલો છે, જેની પર હું ટીપ્પણી નહીં કરું.

ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર પર પણ વાત કરી, તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ અમારી રાષ્ટ્રીય ચેતનામાં નોંધાયેલું છે. તેમના જીવને અમારી સભ્યતામાં વિચારોમાં અને મૂલ્યોની રૂપરેખા નક્કી કરી છે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.