અમેરિકન મીડિયાને PM મોદીનો સણસણતો જવાબ, કહ્યું- અહીં બધા ધર્મના લોકો ખુશ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, ભારત-પાકિસ્તાન, ભારત-ચીન વચ્ચેના સંબધો વિશે પણ તેમણે જણાવ્યું છે. અમેકિન મીડિયાએ સવાલ કર્યો હતો કે ભારતમાં લઘુમતી સાથે ભેદભાવ થાય છે? જેના જવાબમાં પ્રધાનમંત્રીએ સણસણતો જવાબ આપ્યો હતો કે ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે.

અમેરિકાના ન્યૂઝ મેગેઝીન ન્યૂઝવીકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતી સાથે ભેદભાવને લઇને સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે અને સંપન્ન થઇ રહ્યા છે. પછી ભલે તે મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પારસી હોય. તેમણે આગળ કહ્યું કે, કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના દાયરાની બહારના લોકોને મળવાની તસ્દી લેતા નથી.

PM મોદીએકહ્યું કે, જ્યારે યોજના અને ઇનોવેશનની વાત આવે છે, ત્યારે સરકાર અલગ અભિગમ સાથે કામ કરે છે. આ યોજનાઓ કોઈ ચોક્કસ સમુદાય અથવા કોઈપણ સ્થળ સુધી મર્યાદિત હોતી નથી. તે તમામ લોકો માટે ઉપલબ્ધ છે. આ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય. તેમણે કહ્યું કે, સરકારે ઘર, શૌચાલય, પાણી કનેક્શન, ગેસ સિલિન્ડર અને આરોગ્ય વીમા યોજના સમાજ અને ધર્મની પરવા કર્યા વગર બધા લોકો સુધી પહોંચાડી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ આખા ક્ષેત્ર અને દુનિયા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે એના માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ પર તાત્કાલિક ચર્ચા કરવાની જરૂરત છે, જેથી મતભેદો ખતમ કરી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધ વિશે પણ સવાલ પુછવામાં આવ્યો હતો. PM મોદીએ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારત હમેં આતંક અને હિંસાથી મૂક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધીને વધારવાના સમર્થનમાં રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાં મોકલવાના સવાલ પર PM મોદીએ કહ્યું કે, એ પાકિસ્તાનના આંતરિક મામલો છે, જેની પર હું ટીપ્પણી નહીં કરું.

ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર પર પણ વાત કરી, તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ અમારી રાષ્ટ્રીય ચેતનામાં નોંધાયેલું છે. તેમના જીવને અમારી સભ્યતામાં વિચારોમાં અને મૂલ્યોની રૂપરેખા નક્કી કરી છે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.