અમેરિકન મીડિયાને PM મોદીનો સણસણતો જવાબ, કહ્યું- અહીં બધા ધર્મના લોકો ખુશ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, ભારત-પાકિસ્તાન, ભારત-ચીન વચ્ચેના સંબધો વિશે પણ તેમણે જણાવ્યું છે. અમેકિન મીડિયાએ સવાલ કર્યો હતો કે ભારતમાં લઘુમતી સાથે ભેદભાવ થાય છે? જેના જવાબમાં પ્રધાનમંત્રીએ સણસણતો જવાબ આપ્યો હતો કે ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે.

અમેરિકાના ન્યૂઝ મેગેઝીન ન્યૂઝવીકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતમાં લઘુમતી સાથે ભેદભાવને લઇને સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતમાં બધા ધર્મના લોકો ખુશ છે અને સંપન્ન થઇ રહ્યા છે. પછી ભલે તે મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય કે પારસી હોય. તેમણે આગળ કહ્યું કે, કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના દાયરાની બહારના લોકોને મળવાની તસ્દી લેતા નથી.

PM મોદીએકહ્યું કે, જ્યારે યોજના અને ઇનોવેશનની વાત આવે છે, ત્યારે સરકાર અલગ અભિગમ સાથે કામ કરે છે. આ યોજનાઓ કોઈ ચોક્કસ સમુદાય અથવા કોઈપણ સ્થળ સુધી મર્યાદિત હોતી નથી. તે તમામ લોકો માટે ઉપલબ્ધ છે. આ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય. તેમણે કહ્યું કે, સરકારે ઘર, શૌચાલય, પાણી કનેક્શન, ગેસ સિલિન્ડર અને આરોગ્ય વીમા યોજના સમાજ અને ધર્મની પરવા કર્યા વગર બધા લોકો સુધી પહોંચાડી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ આખા ક્ષેત્ર અને દુનિયા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે એના માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ પર તાત્કાલિક ચર્ચા કરવાની જરૂરત છે, જેથી મતભેદો ખતમ કરી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધ વિશે પણ સવાલ પુછવામાં આવ્યો હતો. PM મોદીએ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારત હમેં આતંક અને હિંસાથી મૂક્ત માહોલમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધીને વધારવાના સમર્થનમાં રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાં મોકલવાના સવાલ પર PM મોદીએ કહ્યું કે, એ પાકિસ્તાનના આંતરિક મામલો છે, જેની પર હું ટીપ્પણી નહીં કરું.

ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર પર પણ વાત કરી, તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ અમારી રાષ્ટ્રીય ચેતનામાં નોંધાયેલું છે. તેમના જીવને અમારી સભ્યતામાં વિચારોમાં અને મૂલ્યોની રૂપરેખા નક્કી કરી છે.

About The Author

Related Posts

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.